________________
પ્રવજ્યા-પરિપાલન ]
૪૪૭ ન હોય, તે જે કાંઈ પડિલેહણાદિ શાસ્ત્ર-વિહિત ક્રિયા કરે, તે સક્રિયા નથી. તે તે કુલટાનારીના ઉપવાસાદિ કિયા જેવી છે. પતિનું એઠું સાચવવા પતિની ચાકરી કરનારી, પણ પતિવ્રતને ઊલંધી પતિના પરનો અનન્ય રાગ છેડી, પરપુરુષ સાથે ગાઢ રાગ બાંધી વિષય–ગૃદ્ધિથી દુરાચારમાં રક્ત બનનારી સ્ત્રીને ઉપવાસ ઈષ્ટ લાભ પમાડતો નથી. તે પ્રમાણે ગુરુનું એવું સાચવવા ગુરુની ચાકરી પણ કરે, છતાં ગુરુ પ્રત્યે બહુમાન ન ધરે અને તુચ્છ સ્વાર્થલાલસામાં રમે તે તેની ચારિત્રની કષ્ટવાળી પણ ક્રિયા ઈષ્ટ ફળ મોક્ષ તે નથી આપતી, કિન્તુ ઉ૮ વિભ્રમણરૂપી ફળ આપે છે. - પ્રવે-ચારિત્ર ક્રિયાનું ફળ તે મોક્ષ છે, તે અહીં કદાચ એ ફળ ન મળે, પણ ઉલટું સંસાર ફળ કેમ?
ઉ૦-એમાં વિજ્ઞાનની તૃપ્તિના ફળનું દૃષ્ટાંત છે. પૌષ્ટિક અન આમ તો શરીરને સારી પુષ્ટિ કરે, પરંતુ એમાં જે ઝેર પડયું હોય તે તદ્ન ઉલટું જ ફળ આવે છે. ઝેર ભેળવેલું અન્ન ખાવાથી ક્ષણવાર તૃપ્તિ થાય ખરી, પણ એ વિષાના શરીરમાં તુર્ત પરિણમતા ભયંકર નીવડે! તેથી પુષ્ટિ નથી થતી, પણ ઉલટું નસો ખેંચાઈ કરુણ મૃત્યુ નીપજે છે. તેમ અહીં ગુરુનું બહુમાન કરવાની છે. જિનાજ્ઞા, તે વિરાધવાથી સંસાર-ફળ સંપજે છે. ચારિત્ર-ક્રિયા આત્માને પિષક તત્વ છે, પણ જિનાજ્ઞાની વિરાધના એ ઝેર છે. એનાથી ધર્મપ્રાણ નાશ પામે છે, અને મેહ વધે છે. તેથી કહેવાય કે પ્રાણીઓ જેમાં પુનઃપુનઃ આવર્તે છે. વિરામ વિના ફરે-આથડે છે, એવો સંસાર એ જ વિરાધના વિષનું ફળ છે. એ સંસાર પાછ મહિના લીધે અશુભના અનુબંધવાળો,