________________
૪૦૨
[પંચસૂત્ર-૪ વધે છે ને ? એ રીતે આત્મામાં તત્ત્વનું સંવેદન (સમ્યફ જ્ઞાન) અને આત્મતેજ–આત્મસત્ત્વ–આત્મશાંતિ વધારતો જાય છે
-(એક વખત કેઈસ યમી પિતાપુત્ર વગડામાં વિહાર કરતા ચાલ્યા જાય છે ભર ઉનાળાનો દિવસ છે માઈલો ચાલી નાખ્યા છે ધોમધખ તાપથી રસ્તો જાણે સળગી ઉઠયો છે ત્યા દીકરાને થાક ઉપરાંત તૃપા લાગી છે. ઉમર બાલ છે શરીર પરસેવાથી રેબઝે જ છે, મુખ કરમાયુ છે તરસ વધતી ચાલી ભય કર પીડા થવા લાગી. બાપે આ સ્થિતિ જાણી તેવામાં એક તળાવ નજરે પડયું બાપ મનમાં વિચારે છે કે છોકરી જે આ પણી પીએ તો સારૂ” સ્નેહને વશ થઈને તેને કહ્યા કરે છે કે જે આ પાણીનું તળાવ છે” પણ બાળ એ પાણીની ઈચ્છા વિના ધીમે ધીમે બાપની પાછળ ચાલ્યો આવે છે બાપે માન્યું કે આ મારાથી શરમાય છે, એટલે પાણી નથી પીતે, તેથી તે ઝડપથી છોકરાને પાછળ મૂકી આગળ ચાલ્યો છોકરે બધી પરિસ્થિતિ પામી ગયો બાપની તેવી ઈચ્છા જાણી તળાવ પાસે જઈ ખોબામાં પાણી ઉચક્યુ, મોતને બોલાવી રહેલી તૃપાને બાપની ઈચ્છાનુસાર સ તોપવા બે મોઢા સુધી લાવ્યો ય ખરે, પણ તવસ વેદનથી ત્યાં તેણે શું વિચાર્યું ? “અહાહા ! બા પાણીમાં કલ્લોલ કરતા અસ ખ્ય છો કેમ જાણે પોતાનું મોત નજીક આવ્યું જાણું તરફડતા પ્રાણની દયા માગે છે તમારા એક જીવન ખાતર શા સાર અમને અસંખ્યને મારે વળી સંયમની આ પરીક્ષા વખતે નાપાસ કેમ થવાય ?” એમ વિચારતા તેને અનુકંપા આવી ગઈ તેની વિચારસરણી ફરી, “અહો ! આ હુ શુ કરી રહ્યો છું ? જે તૃપા-પરિસહથી કર્મગ મટે છે, ભાવ–આરોગ્ય વધે છે, તેને એવી રીતે ટાળવા મથું છુ કે જેથી ચારિત્ર-આરોગ્ય ઘવાય અને કર્મરોગ વધે? શા માટે એવું કરૂ ? પછી કર્મગ કાઢવાનું ક્યાં મળશે? મે ઉત્તમ ચારિત્ર લીધુ તેથી કેટલાય દુઃખ નાશ પામ્યા! એવા એ ચારિત્રને હુ નહિ વિરાધુ ” એમ તત્ત્વસ વેદનોથી એણે ઘોર પિપાસાપરિસહ, મોત સામે આવીને ઉભુ છે છતા, સહ્યો સાચવીને નીચો ખોબો કરી પાણી પાછું મૂકહ્યું પણ કાઠે મૂર્ણિત થઈને પડ્યો ક્ષણવારમાં આ સ્થૂલ કાયાને છેડી