________________
૩૭૩
પ્રવજ્યા--પરિપાલન ] કિયા તે બીજી પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. આનાથી તદ્દન ભિન્ન સંસારની વાતોનું સચોટ જ્ઞાન અને ક્રિયા જીવને ક્યાં સુલભ નથી? પૂર્વના અનંતાનંત ભવોમાં ક્યા એક પણ ભવમાં જીવ એને ભૂલ્યા છે? એથી તદ્દભવમાં પાપમય જીવન આધિ-વ્યાધિઉપાધિ-તૃણા અને અતૃપ્તિની પીડાઓ, તથા પછી ભવની પરંપરા સિવાય બીજું શું મળ્યું છે ? પણ હવે જે આ બે પરિણાથી સમિતિગુપ્તિ આત્મસાત્ થઈ જાય, તે આ લેકમાં પરમ સ્વસ્થતા અને પછી ભવને અંત થઈ જાય. કે સુંદર આ દુર્લભ ગ માનવભવમાં જ પ્રાપ્ત ! એ પામી કોણ સુજ્ઞ પ્રમાદ કરે ?
(૮) આશ્વાસદીપ–પ્રકાશદીપ સૂત્ર –તહાસકારા-પથારીવે સંવાાિમે અસંતथिरत्यमुज्जमइ !
અર્થ:-તથા આશ્વાસ દ્વીપ-પ્રકાશીપ ચળ અને અસ્થિરાદિ પ્રકારના હોય. તેને કાયમી અને સ્થિર બનાવવા મથે.
- વિવેચન : -હવે ચારિત્રી સમજે છે કે આ લેકમાં સમ્યક ચારિત્ર અને જ્ઞાન કેવી લકત્તર વસ્તુ છે ! એ આશ્વાસ પ્રકાશ દીવ છે. દીવના બે અર્થ. ૧. દ્વીપ અને ૨. દીપ. ચારિત્ર એ આશ્વાસદીય છે, અને જ્ઞાન એ પ્રકાશદીપ છે. ભવસમુદ્રમાં કષાય અને અવિરતિના કારમાં વિકારોમાં તણાઈ ડૂબી રહેલા જીવને ચારિત્ર એ દ્વીપની માફક આશ્વાસન આપે છે. સમુદ્રજળની જેમ અવિરતિ અને કષાના વિકારો આત્માને આકુલ-યાકુલ કરી ગુંગળાવી બેભાન કરી નાખે છે; ત્યાં ચારિત્ર એ વિકારની વિરતિ ( શાંતિ) કરાવીને મહાન સુખ અને સ્વસ્થતા આપે છે. ત્યારે જ્ઞાન એ એકાંત દુઃખથી વ્યાપ્ત