________________
૩૩૦
[પંચસૂત્ર-૪ તિલાંજલિ આપી ગણાય. કેમકે આવું જે ન હોય તે તે અતિપ્રસંગ આવે, અર્થાત્ જે કાર્ય કરવાના સ્વભાવ-સામર્થ્ય વિનાના આ કારણભાસ ચાને ઉપાયાભાસને કારણ કહેવું છે. દા.ત. વિધિ-વિનાના શિક્ષા-ગ્રહણને ચારિત્રને ઉપાય કહે છે, તે પછી જગતમાં એવા કાર્ય કરવાના સામર્થ્યથી રહિત ગમે તેને પણ કારણ તરીકે કેમ ન અપનાવવા? દા.ત. નિંદા-કુથલી–વિકથા આદિ પણ ચારિત્રના સાધક બનવાની કેમ આપત્તિ ન આવે ? અવિનયાદિ સાથે ગ્રહણ કરેલ શિક્ષાની જેમ એ પણ ફળસાધક નથી, છતાં એ વિકથા એવી અવિધિભરી શિક્ષાની જેમ ઉપાય તરીકે ગણાવી જોઈએ! માટે જેમ વિકથાદિ ત્રાહિત, તેમ આ માનેલા ઉપાયભૂત અવિધિયુક્ત શિક્ષાદિ પણ કાર્યસાધક ન હોવાથી સાચા ઉપાય ન ગણાય. નિશ્ચયનયથી વીતરાગતા-સાધક કેણુ? –
પ્ર-તે પછી પ્રાથમિક દશામાં કેમ એવા અવિધિયુક્ત શિક્ષાગ્રહણુદિ ચલાવી લેવાય છે? શું એ ઉપાય નથી?
ઉ૦–ઉપાય ખરા, પણ વ્યવહાર દષ્ટિથી. અહીં જે કહ્યું તે નિશ્ચયમતના હિસાબે. નિશ્ચયમત સૂક્ષ્મબુદ્ધિગમ્ય છે સૂક્ષમતા આ, કે જે ફળને ન ઉત્પન્ન કરે તેને ઉપાય કહેવાય જ નહિ; નહિતર તો ભળતા પદાર્થ પણ ઉપાય કેમ નહિ ? જેમ એ ફળને પેદા નથી કરતા માટે ઉપાય નહિ; એમ માનેલાં કારણ પણ ફળને પેિદા નથી કરતા માટે ઉપાય નહિ. દા. ત. જે વીતરાગ બનવું છે તે રાગ-દશા એનું કારણ ન બની શકે. એ માટે તે અનાસક્ત દશા જ જોઈએ. પ્રીતિ–ભક્તિ–વચનાનુષ્ઠાન રાગદશાવાળ છે, માટે એ ઉપાય નહિ. કિન્તુ અસંગાનુષ્ઠાન યાને અનાસક્તભાવવાળું અનુષ્ઠાન જ વીતરાગતાને ઉપાય છે. રાગ હોય ત્યાં