________________
પ્રવજ્યા ગ્રહણવિધિ ]
૨૮૭ કે મનને હોય છે, પણ શરીરાદિ જ ત્યાં નથી, તેથી અનિષ્ટનો સંગ થવા જેવું ય કાંઈ નથી. ભૂખનું દુઃખ જ નથી, તેથી ખાવાની વિટંબણા નથી. તૃષા નથી એટલે પીવાની વેઠ નથી. તેમજ બીજા કેઈ દેષ અર્થાત્ વ્યાધિ, અપકીતિ, અશાતા, વેઠ વગેરે વગેરે કાંઈ નથી. શરીર જ નથી પછી વ્યાધિ કેને? નિંદા–પ્રશંસા કરનારા લેકે જ ત્યા નથી એટલે અપકીર્તિ ક્યાં થાય? શરીર નહિ તો કઈ શીતઉષ્ણતાદિની અશાતા જ નહિ, પછી પહેરવા, ઓઢવા, ભેગું કરવા, કે હરવા-ફરવાની વેઠ શી?
ત્યારે એમાં છે શું ? સર્વથા સ્વતંત્ર જીવવા-રહેવાનું, કોઈ અંશે, કોઈ રીતે ય પરતંત્ર નહિ. આત્મા સ્વરૂપમાં જ મસ્ત રહે. આત્માનું સ્વરૂપ શું? કાલેકના દરેક દ્રવ્યના ત્રણે કાળના અનંતાનંત ભાવને જેવા, જાણવા, અને અવ્યાઆધ અનંતસુખ તથા અક્ષય અને અવિકાર્ય સ્થિતિના પ્રશાન્ત સાગરમા ઝીલવું. પરતંત્રતા કેમ નહિ? ત્યાં અશુભ રાગાદિ વિકાર નથી માટે જીવ રાગાદિના વિકારેથી જ પરતંત્ર છે, રાગાદિના કારણે જ એના વિષયને ગુલામ બને છે, એના આધારે જ ચાલે છે. એથી રાગાદિના વિકારોને લીધે જ પીડા ભોગવે છે. સિદ્ધપણામાં તો વીતરાગતાને લીધે પરમ સવાતંત્ર્ય છે. સાથે પરમ શાંતિ છે. કેમકે ત્યા વ્યક્તરૂપે તે નહિ, પણ શક્તિરૂપે ય અંદર છૂપા પડેલા ક્રોધાદિ કષાયો નથી કે જે આશાતિ કરે. તેમ સર્વ ઉપદ્રવને કાયમી અંત થવાથી ત્યાં શાશ્વતું શિવ છે. ત્યાં ગમનાગમનાદિ કરાવનાર અકળામણ નથી. તેથી કોઈપણ ખસવાનું, હાલવાનું, બોલવાનું ચાલવાનુ, દબાવાનું, વગેરે કાંઈ નથી. સિદ્ધ હંમેશ માટે સર્વથા અકિય