________________
૨૭૪
ઉપસંહાર–આ પ્રમાણેના કુશલ અભ્યાસમાં વિશુદ્ધ વિશુદ્ધ બનતો ઉપર કહેલી ભાવનાથી ઘણાં કર્મના બંધન તોડ નાખે છે. કર્મને તે વિશિષ્ટ નાશ થવાથી તે મુમુક્ષુ જીવ સાધુધર્મની ચેગ્યતાને પ્રાપ્ત કરે છે સંસારની ભયંકર દેષમર સ્થિતિની વિચારણાથી સંસાર પ્રત્યે વિરાગી બને તે, હું સાધુધર્મ અને મોક્ષની એક જ અભિલાષાવાળો છે. હવે એને સંસારની કોઈ ચીજ પ્રત્યે મેહમાયા નથી, અને મમતા રહિત બને તે “આ સારૂં અને આ મારું કરવાનું છોડી પરની ચિંતાએ બળવાનું કરતો નથી, તેમજ પરને સંતાપ આપવાથી પણ દૂર રહે છે. સર્વે પ્રત્યે અનુકંપાવાળે બનેલે તે, રાગદ્વેષની પકડ મૂકી દેવાથી શુભ અધ્યવસાયના કંડકની વૃદ્ધિ પ્રમાણે આગળ ને આગળ વિશુદ્ધ બનતો જાય છે; એના ભાવ વિશુદ્ધ વિશુદ્ધતર થતા આવે છે. આ રીતે સાધુધર્મની પરિભાવનાના વિકાસકમને આરાધે છે.
–“સાધુધર્મપરિભાવના સત્ર સમાપ્ત—