________________
૧૭૫
નિ
નથી. આને
દં
તાં . તે સંસારને
આ બધું વ્રતોનું સ્વરૂપ વિચારવું જોઈએ. એ વિચારતાં આત્માએ નિરુત્સાહ કે કાયર થવાની જરૂર નથી. કેમકે, ધર્મગુણે સિવાય આત્મહિત નથી. આનંદ-કામદેવાદિ શ્રાવકે એ વતસ્વરૂપ વિચારીને ઉત્સાહથી વ્રત લીધાં હતાં, તે સંસારને માત્ર ૩ ભવમાં ટૂંકાવ્યા.
(૨) સહજ સુંદરતા-ચિંતન –વળી વિચારવું કે ધર્મ. ગુણેમા નૈસર્ગિક (સ્વાભાવિક) સુદરતા છે. અર્થાત્ ૦ (i) એ અહિંસા, સત્ય વિગેરે ગુણો, એ સ્વરૂપે સુંદર પવિત્ર ભાવે છે, આત્મા એનાથી શોભે છે, જેને પ્રિય બને છે. જ્યારે હિંસા, જૂઠ ઇત્યાદિની વિચારણા, વાણું કે વર્તાવ ગલીચ છે, અપવિત્ર છે. એ સેવનારો લોકમા હલકાઈ ઈતરાજી-નિદા પામે છે. ભલે કદાચ હિંસા, જૂઠ વિગેરેથી આર્થિક લાભ, પૌગલિક સગવડ, કે માનપાનાદિ એકવાર મળી પણ જતા હોય, તોય એમાં આત્મા સ્વસ્થ નથી, અસ્થિર છે; શાંત નથી, અશાત છે. એ દુર્ગણે મમતા, માયા અને કષાયેની સંલેશભરી મલિન વૃત્તિઓથી કલંકિત છે. આનું જ નામ તે દુર્ગુણોની (ષોની) સહજ અસુંદરતા (ખરાબ પણું). જ્યારે, અહિસા સત્ય વગેરે ગુણોમાં મમતા-કષાયના તેવા સંક્લેશ હોતા નથી; ચિત્ત સ્વસ્થ રહે છે. મુદ્રા સૌમ્ય અને તેજસ્વી દેખાય છે. એ બીજાને વિશ્વસનીય અને સમાગમ કરવા ચોગ્ય લાગે છે. આ સ્વરૂપની દષ્ટિએ સુંદરતા થઈ ° (in) ફળની દ્રષ્ટિએ પણ સુંદરતા છે. કેમકે અહિંસા-સત્ય-નીતિ આદિથી ઉપજેલ દુન્યવી ભોગોમાં આત્મા વિહ્વળ-વ્યાકુળ નહિ, આસક્ત-અસ્વસ્થ નથી બનતે. આ બધું તે ગુણેની સ્વાભાવિક સુંદરતા ગણાય. એને આત્મામાં ખૂબ ભાવિત કરવું. ૦ હરિબળ માછીમારે મુનિના ઉપદેશથી