________________
૮૫
(૩૧) જીવનના મહાન દેને પિષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયા ય જીવ રાગ પાસે માયકાંગલો. (૩૪) દુખની હોળી સળગાવનાર રાગ છે,માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પોષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ ઓછો થશે તે ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધી જ હિંસાદિના પાપ છે
રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ૨ અપ્રશસ્ત,
પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યકુશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ, તેથી પાપને બંધ થતો નથી. ખાટી આશંસા યાને દુન્યવી રાગ પાપનો બંધ કરાવે પ્રશસ્ત રાગ તો અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તમા ધર્મ–લેશ્યા છે ધર્મની લેશ્યા ધર્મને અનુરાગ સહેજે કરાવે. ધર્મરાગ એટલે ધર્મની લેફ્સાવાળો રાગ. એ પાપને કાપી આત્માનો વિકાસ સધાવે છે. અપ્રશસ્ત રાગ એટલે પાપની લેશ્યાવાળો રાગ. એ પ્રશસ્તને દેખાવ કરે તેથી પ્રશસ્ત ન થાય. જાતને ગુંડે હોય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી શાહુકારમા ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધ ફેરવે, વૃત્તિ પલટે, તો લેકે વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય કે જ્યારે નેહરાગ અને કામરાગ જતો કરી શુદ્ધ સાધમને અને મેક્ષ-કુટુંબને જ નીતરતો રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારે નહિ “આ સાધુ વાસક્ષેપ સારો નાખે છે, ફાયદો થાય તે, વગેરે.તો એ અશુભ-અપ્રશસ્ત