SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ માધ્યસ્થભાવના જાણી ચૂક્યા છીએ, એ મેહરાયના અને પુત્ર છે અને એ આખા જગતને પિતાની મોરલી ઉપર નચાવે છે એ જ્યાસુધી પ્રાણી ઉપર સામ્રાજ્ય ભેગવે છે ત્યાસુધી પ્રાણી સ સારથી દૂર જઈ શકતો નથી, અને એનો દર વર્ણવતા શ્રીયશોવિજયજી મહારાજ કહે છે કે– “વાબ ધ પણ જસ બળ તૂટે રે, નેહત તેથી તે નવિ છૂટે રે” એટલે પિતાની શક્તિથી વાબધ-મહાઆકરા બધનને તોડી નાખી શકે એવા બળિયા પ્રાણી નેહના તાતણને તોડી શકતા નથી આ આકરે રાગ સસારમાં પ્રાણીને ખેચી છે ચીને રાખે છે મેટા દે પણ એનું વશવર્તિત્વ છોડી શક્યા નથી અને અષાઢભૂતિ તથા નદિપેણ જેવા મુનિઓ પણ એને વશ પડી ગયા છે. હેપની કાળાશ તે મહાભયંકર છે, ચિત્તને ડોળી નાખનાર છે, પ્રબળ વિકાર કરાવનાર છે અને બીજા અનેક મનોવિકારોને જન્મ આપનાર છે. રાગ-દ્વેષમાથી કપાયે અને નોકપાયો જન્મે છે અને એ અનેક રીતે પ્રાણી પર આક્રમણ કરી એનો સંસાર વધારી મૂકે છે ને એના સાધ્ય-મેષને દૂર ને દૂર રાખે છે. સાધ્યને પ્રાપ્ત થવા ન દેનાર આ રાગ–દેપ પ્રાણીના ખરા આકરા દુશ્મનો એટલા માટે છે કે એ સાધ્યનું સામીપ્ય પણ થવા દેતા નથી. એવા આકરી રાગ-દ્વેષરૂપ મહાભય કર મનનો રાધ કરવાથી ઉદાસીનતા જન્મ પામે છે. રાગઢપનો સંપૂર્ણ રોધ થાય તે સ પૂર્ણ ઉદાસીનતા આવે છે અને ઓછો–વધત થાય તો તે પ્રમાણમાં ઓછી-વધતી આવે છે રાગદ્વેષને રાધ એ સાધ્યપ્રાપ્તિનું સાધન છે. ઔદાસીન્સ એ રાધથી પ્રાપ્ત છે અને એ રોધ કરવાથી કાર્યસિદ્ધિ થાય છે, તેથી એ ઉદાસીનતાને ઓળખવા જતા આપણા હાથમાં ઈષ્ટસિદ્ધિનું એક અનેરું સાધન પણ આવી જાય છે. ઉદાસીનતા આવા પ્રકારની છે તેથી તે અમને ખૂબ ઈષ્ટ છે. રાગદ્વેષને રોધ કેમ કરવું એ અત્ર મુખ્ય વિષય નથી એના પ્રસંગો, સાધને અને માર્ગે અગાઉ ચર્ચાઈ ગયા છે અત્ર તેને નિર્દેશ જ કરવાનું છે આ ભાવનામાં એ જરૂર મળી આવશે, તે શોધી લેવાની સૂચના કરીને અહી ઔદાસીન્યના બે મોટા ફળ બતાવીએ – 1 શ્રમથી થાકી ગયેલા, ચિ તાથી મૂઝાઈ ગયેલા, સ તાપના ભારથી દબાઈ ગયેલા પ્રાણીઓ આ ઉદાસીનતામાં આરામ મેળવે છે. સખ્ત ગરમીના સતાપથી ગરમ ગરમ થઈ ગયા હોઈએ, માથે તડકે ધોમ ધખતો હોય અને ચારે તરફ ફાકા ઊડતા હોય ત્યારે નાની ઝૂંપડીમાં નિર્મળ ઠડુ જળ મળે અને પગ લાંબા કરવા પથારી મળે ત્યારે જે આરામ થાય તે આરામ મેહજન્ય અનેકવિધ સતાપોથી તપી ગયેલા ચેતનને ઉદાસીનભાવમાં મળે છે ૧૧૫ ડિગ્રીમાં ઉઘાડે પગે મુસાફરી કરનારને પાણીનું પરબ આવે ત્યારે જે આરામ મળે છે તેવો આરામ ચેતનને ઉદાસીનભાવ આપે છે. રેગી માણસને કોઈ બાબતમા. પ્રીતિ થતી નથી અને ખાવું, પીવું, બોલવુ કે રમવું એમાં એને રસ જામતો નથી તે સારોગથી હેરાન થઈ ગયેલા પ્રાણીને ઉદાસીનભાવમાં
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy