SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપસંહાર : કરુણું કરુણાભાવનાનું સ્વરૂપ રજૂ કરતા શ્રી જ્ઞાનાર્ણવકાર નીચેના ત્રણ શ્લોકે રજૂ કરે છે તે બહુ અર્થસૂચક અને ગભીર છે दैन्यशोकसमुत्त्रासरोगपीडार्दितात्मसु ।। वधवन्धनरुद्धेपु याचमानेपु जीवितम् ॥ १ ॥ क्षुत्तधमाभिभूतेपु शीताद्यैर्व्यथितेषु च ।। अविरुद्धेपु निस्त्रिशर्यातमानेपु निर्दयम् ॥२॥ मरणार्तेपु जीवेपु यत्प्रतीकारवाञ्छया । અનુમત્તિ, તે વારિ કર્તિતા / રૂ . જે પ્રાણી દીનતાથી, શેકથી, ત્રાસથી, રેગથી, પીડાથી દુખિત હોય, વધ–બંધનથી રુ ધાઈ ગયેલ હોય, પોતાના જીવન માટે પ્રાર્થના કરતા હોય, ભૂખ, તરસ, થાકથી પીડિત હાય, ઠડી વગેરેથી હેરાન થઈ ગયેલ હોય, દયા વગરના પ્રાણીઓથી નિર્દયપણે મરાઈ માઈને હેરાન થઈ ગયેલો હોય અથવા મરણાત કષ્ટ પ્રાપ્ત થઈ ગયેલ હોય-એવા કેઈ પણ પ્રકારના પ્રાણીના દુ ખમા તેના દુ અને ઉપાય કરવાની ઈચ્છાપૂર્વકની જે ઉપકારબુદ્ધિ તેનું નામ કરુણા કહેવાય છે આ સૂત્રમાં સંક્ષેપમાં કરુણાભાવનાનો આદર્શ મુદામ રીતે બતાવવામાં આવ્યો છે માત્ર એમાં સ્થૂળ કરુણાના પ્રસંગો બતાવ્યા છે એ ધ્યાનમાં રાખવું. એમાં જે દીનતાથી માડીને કરુણાના પ્રસંગો બતાવ્યા છે તે સર્વના સ બ ધમાં ઉપાય (પ્રતિકાર) કરવાની ઈચ્છાપૂર્વક ઉપકાર કરવાની બુદ્ધિ તે કરુણ આપણુ ગ્રંથક્તએ એની વ્યાખ્યા કરતા જણાવ્યુ છે કે થિમકા નિવા પીડા પામતા પ્રાણીઓના વ્યાધિઓને દુર કરવાની ઈચ્છા” (પ્રકરણ ૧૩, શ્લેક ૩) આમા વ્યાધિઓની વ્યાખ્યા કરતા કહેવામાં આવ્યું છે કે તેમાં રાગ, સુખભ ગ, ધનહાનિ, ધર્મહીનતા, વગેરેનો સમાવેશ થાય છે તેઓએ નીચેના કરુણાજનક પ્રસગો આપ્યા છે ૧ ખાવુપીવું, ઘર ચણાવવા, ઘરેણાં ઘડાવવા, લગ્ન, સ તતિ અને ઈદ્રિયના ભોગવિષયની અભિલાષાઓ (સ્થળ પદાર્થો પાછળ આયુષ્યવ્યય) ૨. વૈભવ મહામુસીબતે મેળવો અને પછી તેને પોતાનો માનવ અને દુશમન, રોગ, ઘડપણ કે મરણને લઈને વૈભવને છેડે પડે ત્યારે દયાપાત્ર થવું (રાગજન્ય) ૩. સ્પર્ધા, મત્સર, લડાઈ, લેભના આવિર્ભાવ (પજન્ય)
SR No.011601
Book TitleShant Sudharas
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy