________________
સર્વજ્ઞ
૩૧
મૂળ પ્રકાશક સર્વ
ઈશ્વરને વિશ્વનો કર્તા માનવામાં જેમ અનેક પ્રમાણ સંબંધી બાધાઓ ઉત્પન્ન થાય છે, તેમ વિશ્વની સમગ્ર વસ્તુઓને જાણનાર અને જેનાર ઈશ્વરને નહિ માનવાથી પણ અનેકવિધ પ્રમાણ સંબંધી બાધાઓ ઉત્પન્ન થાય છે. વિશ્વની સમગ્ર વસ્તુઓને જાણનાર કેઈ ઈશ્વર ન જ હિય, તે જગતમાં જે વિવાદ વિનાની અનેક માહિતી આજે મળી આવે છે, તે મળતા નહિ, કઈ પણ વક્તા સર્વ વસ્તુને જ્ઞાતા થયા સિવાય પૂર્ણ સત્ય બોલી શકે જ નહિ.
સૂર્યચન્દ્રાદિ તિષચક્ર અને ગ્રહોના ચારનું, વૈદ્યશાસ્ત્રનું અને નિમિત્તશાસ્ત્રનું તથા બીજા પણ સૂમ, દૂર અને અન્તરિત પદાર્થોનું જ્ઞાન જે આજે ઉપલબ્ધ થાય છે, તે સર્વને માન્યા સિવાય સંભવે નહિ. ગણિતશાસ્ત્રને કે શૈદ્યકશાસ્ત્રને સારો કે અનુભવી અભ્યાસી પણ, મૂળ તિષશાસ્ત્ર કે વૈદ્યકશાસ્ત્રની સહાય વિના ગ્રહચાર કે રેગનિદાનાદિનું જ્ઞાન કરી શકે નહિ. એ મૂળ જ્ઞાન જેના વડે પ્રકાશિત થયું હોય, તે જ સર્વજ્ઞ છે. છમસ્થ વડે તે મૂળ જ્ઞાન પ્રકાશિત થઈ શકતું હોય, તે આજે પણ થવું જોઈએ.
ધર્મશાસ્ત્રોમાં વર્ણવેલ આત્મા, પરલેક, કર્મ, '૩ય, પાપ, સ્વર્ગ, નરક આદિ પદાર્થોની સૂક્ષ્મ હકીકત પણ છાવસ્થિક જ્ઞાનથી જાણી શકાય એવી નથી. આજે