SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી પ્રશ્વવ્યાકરણ સૂત્ર સદા અતૃપ્ત એવા ઉપજે, અને ત્યાં પણ નરકનાં આવર્તન બાંધે. ભવપ્રપંચે કરી જન્મ-મરણના ફેરા કરે, ફરી સંસારનાં આવર્તન બાંધે, ધર્મશાસ્ત્રના જ્ઞાનથી રહિત, અનાર્ય, કૂર કર્મના કરનારા અને મિથ્યાત્વશાસ્ત્રના મતના આદરનારા બને. તેઓ એકાંત હિંસાની રૂચિવાળા કરેલીચાની જાળની પેઠે કર્મના આવરણથી વીંટાઈને દુઃખ ભેગવે. પિતાના આઠ પ્રકારના કર્મના તંતુઓના મજબૂત બંધને બંધાયેલા હોઈ તેઓ પરિભ્રમણ કરે છે. એવી રીતે નરકતીર્યચ-મનુષ્ય અને દેવગતિરૂપ સંસારની પરિધિમાં પરિભ્રમણ કરે છે. સંસારસમુદ્ર. એ સંસારસમુદ્રમાં જન્મ–જરા–મરણરૂપી ગંભીપણું છે. દુખે કરીને પ્રક્ષુબ્ધ એવું ઘણું જળ છે, સંગ વિચાગરૂપી માં ઉછળે છે, ચિંતાના પ્રસંગે મેર પ્રસરી રહેલા છે, વધ–બંધનરૂપી સેટે કલ્લોલ વિસ્તરી રહ્યો છે, કરૂણાજનક શબ્દ-વિલાપ અને ભને કલકલ ઇવનિ અતિશય સંભળાઈ રહ્યો છે, અપમાનરૂપ છીણ ઉડી રહ્યું છે; તીવ્ર નિંદા, ઘણા રોગોની નિરંતર વેદના, પરાભવ તથા પતન, નિષ્ફર વચન, નિર્ભત્સના, એ બધાને ઉપજાવનાર કઠોર કમરૂપી પાષાણે કરીને જેને વિષે તરંગો ચાલી રહેલા છે; સદા મરણયરૂપી પાણીની સપાટી જેમાં રહેલી છે, ચાર કપાયરૂપી પાતાળકલોથી વ્યાસ, લાખે ભવરૂપી પાણીના સમૂહને જ્યાં અંત નથી, જે ઉગકારક છે, જેને પાર પામી
SR No.011592
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra
Original Sutra AuthorN/A
AuthorChotalalmuni
PublisherNathalal Dahyabhai Shah
Publication Year1933
Total Pages183
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy