________________
હિં સાકર્મ
૧૫
શળની અણી ઘાંચવી, આજ્ઞા કરીને ઠગવું, ભેંઠા પાડવું, અપમાન કરવું, ગુન્હો બતાવીને વધભૂમિમાં લઈ જવું, વધ્ય જીવને માટીમાં દાટ, એ પ્રમાણેનાં કષ્ટોથી પૂર્વે કરેલાં કર્મોના સંચયથી નારકી જી પીડાય છે. નરક ક્ષેત્રને અગ્નિ, મહાઅગ્નિ (દાવાનળ સરો), એની અતિ દુઃખકારી, ભયકારી, અશાતાકારી શારીરિક અને માનસિક એવી બે પ્રકારની વેદના એ જ ભેગવે છે, અને એ વેદનાને એ પાપીઓ ઘણા પોપમ અને સાગરોપમના આયુષ્ય સુધી દયાજનક રીતે સહન કરે છે. પરમાધામી જ્યારે નારકીને ત્રાસ ઉપજાવે છે, ત્યારે નારકીઓ ભયભીત સ્વરે આકંદ કરતાં કહે છેઃ “હે અત્યંત શકિતમાન, હે સવામી, હે ભાઈ, હે બાપ, હે તાત, હે શત્રુજિત ! મને છેડે, હું મરું છું, દુબળ છું, વ્યાધિ પીડિત છું !” એમ બેલ તે જીવ દયારહિત પરમાધામી તરફ દષ્ટિ કરે છે કે રખે મને મારશે ! તે કહે છે: “મને કૃપા કરીને મુહૂર્ત માત્ર શ્વાસોચસ લેવા દે અને મારા ઉપર રોષ ન કરે! હું ક્ષણ માત્ર વિસામો લઈ શકું તે માટે મારું ગળાનું બંધન છેડે, નહિતર હું મરી જઈશ. મને બહુ તરસ લાગી છે, માટે મને પાણી પીવા આપો. તે વખતે પરમાધામી તે નારકીને કેસળ આમંત્રણ વડે “શીતળ અને નિર્મળ પાણી તું પી એમ કહે છે અને તેને પઠને પરમાધામી કથીરનો રસ કળશમાંથી તેના કરસંપુટમાં રેડે છે; તે પાણી દેખીને નારકી દૂજી ઉઠે છે, અને આંસુ ગાળતાં કરૂણાજનક સ્વરે કહે છે કે “મારી તરસ હવે છીપાઈ ગઈ છે, ત્યારે હવે