SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ વરાહ અડતાળીસમું.] ચેતનાની વિપક્ષના-દર્શનચિય. સ્થિતિ સ્પષ્ટ જણાશે. એને સ્વભાવ જ અધોગામી થઈ ગચેલા હોવાથી જ્યાં સુધી નિષ્પક્ષપાત દષ્ટિએ જોવાની તેને ટેવ પડે નહિ ત્યાં સુધી તેની સ્થિતિમાં ફેરફાર થવા સંભવ નથી. સત્યને અશ લઈ પિતાને પંડિત સર્વજ્ઞ સમજી, કાંઇક ભૂલથી, કાંઈક અભિમનથી અને કાંઈક મતિમંદતાથી એક બાજુએ ઢળી જવાની ટેવને લીધે ઘણું પ્રાણુઓ વિના કારણે સંસારસમુદ્રમાં અટવાયા કરે છે, ઘસડાયા કરે છે અને હેરાન થયા કરે છે. એને કિનારે દેખાતે નથી દેખાય છે તે તે તરફ સ્થિર દષ્ટિ રાખીને તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન થતું નથી અને સાધારણુ ખડકેને કિનારા માની તે તરફ ખેંચાઈ જીવનજહાજ તેની સાથે અથડાવી સમુદ્રના વમળમાં પડી ઘસડાયા કરે છે. આવી રીતે નિષ્પક્ષ રહેવાની શુરણ કેઈ વખત થાય છે તે પણ ઉપર ઉપરની હોય છે, કિનારાને બદલે ખડકને કાઠા સમજી તે પ્રાપ્ત કરવાના પ્રયત્નને સાધ્ય પ્રાપ્ત કરવાનું લક્ષ્ય બહુ સમજવામાં આવે છે. આવા સર્વ પ્રયત્ન નિષ્પક્ષ ન રાખતાં ચેતનજીને વધારે વધારે સમુદ્રમાં ડુબાડતા જાય છે. અમુક મત કે અમુક દર્શન ચેતનજીને નુકશાન કરનાર થાય કે લાભ કરનાર થાય તેને મુખ્ય આધાર તેની સત્યાગ્રાહી બુદ્ધિ ઉપર છે. દરેક દર્શનમાં સત્યના અંશે તે રહેલા હોય છે જ, તેને તેટલા અંશે સત્ય સમજવામાં આવે તે પછી વધે રહેતી નથી, પણ જે અંશને સંપૂર્ણ સત્ય માનવામાં આવે તે સત્યાગ્રહ થત નથી. આ ભાવ હવે વિસ્તારથી વિચારવામાં આવશે. ચેતનાનું શુદ્ધત્વ હજી પ્રગટ થયું નથી તે સુમતિ પાસે ફરિયાદ કરવા કહે છે કે હે માડી! મારા કેવા કેવા હાલ કર્યા તે સાંભળો. - આ આખું પદ નિરપખ શબ્દપર રચાયું છે. ધાર્મિક દ્રષ્ટિ નિષ્પક્ષ રહેવાની બહુ જરૂર છે. અમુક મત કે દર્શન પિતાનાં છે તે તેને પક્ષ કર ન જોઈએ, પરંતુ તેમાં જે સત્ય હોય તે તેને સત્યની ખાતર આદરવાં જોઈએ. આ વિશાળને પક્ષપાતરહિત દષ્ટિથી પરમસહિષ્ણુતા પ્રાપ્ત થાય છે. નિષ્પક્ષ શબ્દની આ વિવેચના મત દર્શનાનુસાર થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ મનની શાંતિ રાખવી, મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું અને ગમે તેવા પ્રસંગે તેને કેળાવા દેવું નહિ એ અર્થ નિરખ શબ્દને થઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ શુદ્ધ ?
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy