SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ ચાળીશમુ.! વિચિત્ર આત્મવાદમા શુદ્ધ પતિદર્શન. ૪૦૫ બહાસંબધ કરનારને પ્રભુ અગીકાર કરે છે એમ માને છે, છતાં મહવની પેઠે તેઓ જીવ અને ઈશ્વરને ભેટ સ્વીકારતા નથી. નિબાર્ક અથવા ભાસ્કરાચાર્યના મતવાળા પણ ભક્તિ પ્રધાન માને છે અને તાતની ચર્ચામાં ઉતરવાની વાતને નિરર્થક માને છે અને ભજનકીર્તનમાં આનંદ માને છે. પુરાણુ મામા શૈવમતાનુયાયીઓ પણ બહુ હોય છે. તેમાં પ્રથમ નકુલીશ પાશુપત મત છે. તેઓ લલાટ છાતિ આદિ જગપર શિવલિંગ કરે છે. ચેગ અને પાશુપત મતને બહ નજીકને સંબંધ છે. 'એશ્વર્યપ્રાપ્તિ અને માં અભીષ્ટ અને શક્ય ધારવામાં આવ્યાં છે. મર્ચંદ્રનાથ નામના સુપ્રસિદ્ધ પુરૂષ આ મતમાં થઈ ગયા છે. કાન ટા યોગીઓ આ પાશુપત મતને માનનારા હોય છે અને કાપાલિકા તથા અઘારીઓની સાથે આ મતને ઘણું નજીકને સંબંધ હોય એમ ધારવામાં આવે છે. હઠયોગને અંગે જે અનેક પ્રકારની શરીરચાતના કરવામાં આવે છે તે આ મતમાં ખાસ અનુકરણીય અને એશ્વર્યપ્રાપ્તિનું કારણ સમજવામાં આવે છે. ગુરૂ વગર ચાલી શકેજ નહિ એમ આ મતવાળા માને છે. આઠ પંચક અને શૈક્ષ્યાદિ ત્રણ જાણનાર ગુરૂ હોઈ શકે છે ક્રિયાલક્ષણ અને ક્રિયાઉપરમલક્ષણ ગથી આત્મા અને ઈશ્વરને સબંધ થાય છે એમ તેઓ માને છે. ક્રિયાલક્ષણ ચાગમાં જ૫ ધ્યાનાદિનો સમાવેશ થાય છે અને ઉપરમમાં સવિદનો સમાવેશ થાય છે. શરીર ભસ્મ લગાડવી, હાસ્ય કરવું વિગેરે વ્રત છે અને ઉધ્યા વગર પડ્યા રહેવું વિગેરે ક્રાથનાદ્વાર છે. આ મતમાં ઈશ્વરને નિરપેક્ષ માનવામાં આવે છે. પંચકાદિને વિસ્તાર સર્વદર્શનસંગ્રહ ગ્રન્થમાં જોઈ લે. અન્ય શાસ્ત્રોમાં કૈવલ્યપ્રાપ્તિ માટે વેગ કરવાનો હોય છે, અહિં ચાગનું ફળ ઐશ્વર્યપ્રાપ્તિ અને દુખને અંત છે. શૈવમતાનુયાયી બહુધા બ્રાહ્મણ હોય છે. એ પાશુપતથી વિલક્ષણ પ્રકારને સંપ્રદાય છે. એ મત બહુધા સેશ્વર સાંખ્યની સાથે માતે આવે છે. તેઓ જગને ઈશ્વરનું કાર્ય માને છે અને ઈશ્વરને કર્મફળદાતા કહે છે. ઈશ્વર તે નિરાકાર છે પણ મંત્રથી તેનાં અગેની ભિન્ન ભિન્ન કલ્પના કરી તેનું ઇન્દ્રિયગોચર કરેલું સ્વરૂપ ઉપાસના માટે આવશ્યક ધારવામાં આવે છે. શિવનાં અહીં પાંચ કૃત્ય માનવામાં આવે
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy