SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ છવીસમું. ગુણહીનને યાચના કરતા આવડતું નથી. ૨૩૫ આત્મતિનું દિવ્ય દર્શન થઈ ગયું હોય એમ મારા ધ્યાનમાં નથી અને એનું કારણ એ ભક્તિ માટે ભાવ કેવા પ્રકારને જઈએ, રૂચિ કેવી ઊચા પ્રકારની જઈએ, સહણુ કેવી દઢ જઈએ તેનું મને વાસ્તવિક ભાન નથી એ જ લેવું જોઈએ. “ભાવ વિના દાનાદિકા, જાણે અલુણે ધાન, ભાવરસાંગ મળ્યા થકી, ગુટે કર્મ નિદાન એ વાત સત્ય હશે એમ મને જણાય છે, કારણકે અનેક રીતે મે કિયા કરી હશે પણ ચરમાણ ચિયા પરિવારાિ ન ભાવસાચા ભાવશૂન્ય-નિરદરપણે અથવા અન્યત્ર ચિત્તે કરી હશે તેથી આપનો સાક્ષાત્કાર કદિ થો નથી. તે ઓથે ભક્તિ કરતા હતા પણ મને સ્પષ્ટ બાધ નહિતેા કે આપની ભક્તિ પુષચંદનથી થાય કે ગુણનુકીર્તનથી થાય કે ખમાસમણ દેવાથી થાય કે રાગ કાઢીને રતવન બોલવાથી થાય કે ઘંટ વગાડવાથી થાય. આવી રીતે ભક્તિનું સ્વરૂપ, તેના ભેદ વિલે સમજયા વગર અને તેની સાથે ભાવરસાગ મેળવ્યા વગર કરેલી સર્વ ભક્તિ આત્મત્રહિને ઉત્પન્ન કરનાર ન થવાથી વિફળ ગઈ એમ. જણાય છે. વિવેકપૂર્વક દશ ત્રિક, પાંચ અભિગમ સાચવીને આશાતના ટાળીને પ્રભુસ્વરૂપ ઓળખી પ્રેમથી સ્નેહથી એકાગ્રતાથી એક વખત આપની ખરી ભક્તિ થાય તે મારા ભવના ફેરા મટી જાય એમ સાંભળ્યું છે પણ મને હજુ તે આવડતું નથી, ત્યારે તેનાથી આપને શું કહ્યું? આપની પાસે શું માગું? કેવી રીતે માણું? હે નાથ! ટુંકામાં કહું તે હું આપને વાસ્તવિક રીતે ઓળખતે જ નથી. આપના સવરૂપનું મને ભાન નથી. અરે આપ ટાઢા છે કે ઉના છે, શીતળ છે કે ગરમ છે તે પણ હું જાણતા નથી. મતલબ આપને વર્ણ બંધ રસ રપર્શાદિ છે કે નહિ તેનું પણ મને જ્ઞાન નથી. તમે નિરંજન નિરાકાર છે કે ગરમ ઠડા છે તે પણ હું જાણુ નથી તેથી આપની પાસે હું શું માગું? અથવા આત્માને કર્મલાપ મટાડી દઈ તેને શીતળ કરે એવાં હિતકાર્યો કર્યાં છે તે હું જાણતો નથી તેમ જ આત્મ અહિત કરનાર પ્રાણાતિપાતાદિ આશ્રવ છે તેને પણ હું જાણુતે. નથી. મતલબ આત્માને શીતળ અથવા ગરમ બનાવનાર પદાર્થોને મને વિવેક હજુ થયા નથી. મારા પ્રભુ! મારા અંતર્યામી! મારી આવી સ્થિતિ છે તેથી આપની પાસે હું કેવી રીતે અને શેની યાચના
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy