SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદલનનાં પો. [પ ભાવ–હવે એ અનુભવરસ કેવા સુંદર છે તે મહુ સ્પષ્ટ રીતે સુમતિ મતાવે છે. એ અનુભવરસમાં કોઈ પણ પ્રકારના રોગ નથી તેમજ શાક નથી. તમે જે શ્રૃંગાર, હાસ્ય, વીર વિગેરે રસનું પાન કરવા જશે તે તેમાં રગ શાક વિગેરે અનેક પ્રકારના સંસારી ભાવા જાગ્રત થશે અને તમને ત્રાસ આપશે. શૃંગાર પછવાડે વિચાગ, હાસ્ય પછવાડે રૂદન, વીર પછવાડે શેક વિગેરે પ્રત્યક્ષ રીતે જાણવામાં આવેલા છે અને અવલેકનકારની દૃષ્ટિમાં તે તદ્રુપે દેખાય છે. વળી એ રસના પાન પાતે પણ અનેક વ્યાધિઓનાં કારણુ થઈ પડે છે. અતિશ્રૃંગારરસમાં પડેલાઓને વ્યાધિ એવા થાય છે કે આવા ગ્રંથમાં તેનાં નામ લખવાં તે પણ અનુચિત ગણાય. આવી રીતે સ્થૂળ રસ લેવાથી રાગ, શેક, ભય, દુર્ગંધ્રા વિગેરે ભાવા ઉત્પન્ન થાય છે ત્યારે આ અનુભવરસનું પાન કરવામાં તેવા કાઈ પણ પ્રકારના ભાવ ઉત્પન્ન થતા નથી. સાંસારિક પ્રાણીએ તે બિચારા માર ખાય છે તાપણ સંસારને વળગતા જાય છે અને આવા જ કારણથી સંસારરસિક સાહિત્યકારો કેટલીક જગાએ શાંતરસને રસ તરીકે ગણવાની પણ ના પાડે છે. એના સ્થાયી ભાવ વિગેરે શૃંગારાદિસેથી જૂદી જાતના હાવાથી તેમાં તેમને આનદ આવતા નથી, કારણકે આત્મિક આનંદ શું છે અને કેવા હોય છે તેનું તેને ભાન પણ થયું હતું નથી. આ અપ્રસ્તુત વિષય છે તેથી અન્ન તેની વિશેષ ચર્ચા અસ્થાને ગણાય, પણ કહેવાના તાત્પર્યાર્થ એ છે કે અનુભવરસમાં વરસપૂર્ણ ઉત્પન્ન કરનાર એક પણ વિપરીત ભાવ નથી. ૨૪ વળી એથી પણ વિશેષ આનંદદાયક હકીકત એ છે કે અનુવરસપાનમાં લેવાદ સર્વ મટી જાય છે. આ કાર્ય કરવાથી લોકો આવું કહેશે, આવું ધારશે, આ પ્રમાણે વાત કરશે એવી જે લેકદૃષ્ટિ આપણને સામાન્ય રીતે પડી ગઈ છે તે પછી રહેતી નથી. જ્યાં આત્મિક ઉન્નતિ કરવાના એકાંત હેતુથી કોઈ પણ કાર્ય કે ત્યાગ કરવામાં આવે ત્યાં પછી અન્ય વાત કરનારા સંસારરસિક જીવે શું કહેશે એ વિચાર કરવાના અવકાશ જ રહેતા નથી. સંસારી જીવતું સાધ્ય જ ઉલટું છે, તેમાની વૃત્તિ ખયાને સંસારમાં જ રાખવાની હોય છે, તેથી તેમના સાધ્યથી જે વાત થાય તે અનુભવજ્ઞાનવાળાને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy