SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ આનંદઘનજીનાં પ. ૫દ હવે આ જીવ રોપાટ રમે છે તે કેવી રીતે રમે છે તે અત્ર બહવિસ્તારથી બતાવે છે. એ રમતની સાધારણ બાબતને કવિ પોતાના અધ્યાત્મજ્ઞાનની વિપુલતાને અગે કેવા વિસ્તૃત અર્થમાં મૂકી દે છે તે સમજવા ચોગ્ય છે. પાસાવડ રોપાટ રમી જાણનાર એને ભાવ બહુ સારી રીતે સમજી શકે તેમ છે. રાગ-રામથી खेले चतुति चोपर, पाणी मेरो खेले. नरद गंजीफा कौन गीनत है, माने न लेखे बुद्धिवर. प्राणी मेरो० १ મારે ચેતન ચાર ગતિરૂપ ચાપાટ ખેલે છે, તેની પાસે સાગઠી કે ગંજીપા તે કેણુ ગણતરીમાં છે, બુદ્ધિમાન પુરૂષ આની પાસે તેને લેખામાં ગણતા નથી.” ભાવ-પાટને ચાર પટ હોય છે, દરેકમાં ચાવીશ ચાવીશ ઘર હોય છે, ચારે પટમાં થઈને છનું ઘર હાથ છે, એ છાનું ઘરમાં સગડી ફર્યા કરે છે, વચ્ચે મરી જાય છે ત્યારે પાછી ફરીવાર બેસે છે, પણ એનું સાધ્ય એ સર્વ ઘર મૂકી દઈને વચ્ચેના સાધ્ય સ્થાનમાં આવવાનું હોય છે. સગડી ચાર રંગની હોય છે. કાળી, પીળી, લાલ અને લીલી અને દરેક રંગની ચચાર સોગઠી હોય છે, કેડીથી રમે છે તેઓ છ અથવા સાત કેડીથી બે રીતે રમે છે અને બન્નેમાં દાણા ગણવાની રીત જૂદી જૂદી છે. પાસાથી રેમે તે ઘણું કરીને બે પાસાથી રમે છે. એ દરેક પાસાને ચાર ચાર બાજી હાય છે અને તે અનેના સરવાળાના દાણા ચલાવતી વખત જુગ વિગેરે બંધાય છે. - આ ચેતનજી તે ચાર ગતિરૂપ એપાટ ખેલવા મંડી ગયા છે. જેમ એપાટમાં ચારપટ હોય છે તેમ આ ચેતનજી પણ ચાર ગતિમાં ચકરાવે લેવા મંડી ગયા છે. એમણે જે બાજી માંડી છે તે એવી વિચિત્ર છે કે તેની પાસે સોગઠાબાજી કે ગંજીપ (કાર્ડઝ) કોઈ પણ ગણતરીમાં નથી, એને બુદ્ધિમાન માણસે કઈગણુતા નથી અને સ્પષ્ટ ૧ ખેલે રમે છેચાપત્ર પાટ નરહરસાગઠા. ગફાગશે. કૌન ગીત હે કાણુ ગણતરીમા છે, બુદ્ધિવર-બુદ્ધિમાન પ્રાણુ.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy