SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ આનઃધનજીના પી . [ પદ “આપ અભ્યાસ પ્રકાશે નિરલા, નિરખે ધ્રુકી તારી.” એ પાઠાંતર પણ બહુ સારો ભાવ આપે છે. શિરપર પંચ પરમેષ્ઠી વસે છે અને હૃદયઘટમાં સૂક્ષ્મ ખારી છે તે ખારી દ્વારા જ્યારે આ જીવને આત્મઅભ્યાસ થાય છે ત્રણ પ્રકારના આત્માનું ઉપર જણાવેલું સ્વરૂપ સ્પષ્ટ રીતે સમજાય છે ત્યારે તે તદ્નારા ના તારા શુદ્ધ પરમાત્મ ભાવ–આધ્યાત્મિક જીવનનું પરમ લક્ષ્યબિન્દુ જુએ છે અને તે વખતે તેને અપૂર્વ આનંદ થાય છે. આનંદઘનજી મહારાજ અત્ર કહી દે છે કે આવી રીતે બ્રુના તારા દેખનાર વિરલ હાય છે, ભાગ્યશાળી હાય છે, જવલ્લે જ હાય છે, પણ એ સર્વ પ્રયાસનું સાધ્ય— પ્રાસન્ય સ્થાન હાવાથી તેમાં અદ્ભુત શાંતિસમૃદ્ધિનુ સામ્રાજ્ય હાય છે. મુકી તારી એ પરમાત્મ ભાવ સમજવા. ७८ ܗ પતની આ ગાથામાં કોઈ અપૂર્વે ભાવ હૈાય એવી સ્ફુરણા થાય છે. ત્યાગની કેટલીક હકીકતના તેમાં સમાવેશ ર્યો જણાય છે. પંચ પરમેષ્ઠી એટલે પંચ મહાવ્રત હાવા સંભવિત છે. સર્વે જીવની હિંસાના ત્યાગ, સર્વથા અસત્ય ભાષાના ત્યાગ, પરવસ્તુ રજા વગર લેવાના નિયમ, અખંડ બ્રહ્માચર્ય અને પરવસ્તુ ઉપર સ્વામીત્વ સ્થાપન ગ્રહણાતિના સર્વથા ત્યાગ એ પંચ મહાવ્રતાનું સ્થૂળ સ્વરૂપ છે. સમ્યગ જ્ઞાનપૂર્વક જ્યારે સર્વવિરતિભાવ પ્રાપ્ત થાય છે ત્યારે ત્યાગમાં જે આનંદ આવે છે તેનું સ્વરૂપ અનુભવથી જ સમજાય તેમ છે. ચાગસુત્રામાં અને પાંચ યમ તરીકે ઓળખવામાં આવે છે. ચેાગનું આ પ્રથમ અંગ છે અને આત્માથી પર રહેલી સર્વ વસ્તુપર જય મેળવવાના પાયેા છે. એ પંચ મહાવ્રતનું સૂક્ષ્મ સ્વરૂપ બહુ લક્ષ્યપૂર્વક વિચારવા ચેાગ્ય છે. એ પંચ મહાવ્રત પણ સમ્યગ્ જ્ઞાન–વસ્તુસ્વરૂપના શુદ્ધ અવધપૂર્વક હાય તા વિશેષ લાભ કરનાર થાય છે. નહિં તે મહુધા કાયક્લેશ કરાવે છે. આ પચ મહાવ્રતને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ આપી અત્ર કહે છે કે તારા શિરપર પચ પજ્ઞેષ્ઠીને વાસ છે, મતલખ તારે પચ મહાવ્રતની ધુરા તારા માથા ઉપર વહન કરવાની છે અને તેની સાથે જ જ્યારે તારા હૃદયઘટમાં રહેલી થ્રુસ મનરૂપ ખારી દ્વારા તું અવલેાકન કરીશ ત્યારે તને વસ્તુસ્વરૂપના ભાસ થશે, પચ મહાવ્રત દ્વારા મહા ત્યાગ કરીને પછી જ્યારે તું મનને
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy