SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ છ] આનદાન અને બાલુડે સંન્યાસી, ૫૩ ધ્યેયને અભિમુખ થાય છે તે વખતે ઈદ્ધિ પિતાનું સામ્રાજ્ય ન બતાવતાં કચેય અભિસુખ રહે અને ચિત્તને વિષય તરફ ખેંચી ન જાય, મતલબ ઇઢિયે પણ યાભિમુખ થઈ રહે એવી ઇન્દ્રિયની સ્થિતિને પ્રત્યાહાર કહે છે. આવી પ્રત્યાહારની સિદ્ધિથી બુદ્ધિને જય થાય છે. વૈરાગ્યના બળથી મન જ્યારે ઇન્દ્રિયામાં ધાવન ન કરે અને ચેય તરફ ગમન કરે ત્યારે ઇન્દ્રિય પણ તેને અનુસરે તે વખતે જે સ્થિતિ થાય છે તેને પ્રત્યાહાર કહે છે અને પછી તે મનપર એટલે કાબુ આવી જાય છે કે ઇદ્રિને તેના વિષયમાંથી ખેંચી ગમે તે જગપર ઈચ્છાનુસાર ધારણ કરી શકાય છે. આ પ્રત્યાહાર ગાંગને જૈન ચોગાચાય પણ સમ્યમ્ સમાધિની સિદ્ધિ માટે પ્રશસ્ત ગણે છે, કારણકે પ્રાણાયામની પિકે આમાં ચિત્ત ક્ષોભ પામતું નથી અને વળી પ્રત્યાહારથી સ્થિરતા પામેલું મન સર્વ ઉપાધિ રહિત થઈ સમપણું પામી જાય છે અને આત્મામાં તેને લય થઈ જાય છે. સદરહુ ગનાં પ્રથમનાં પાંચ અંગે બહિરંગ છે અને તે મંદાચિકારી માટે જરૂરનાં છે એમ એગ દર્શનકારે કહે છે. બાકીનાં ત્રણ અંગે સર્વ અધિકારી માટે સાધારણ છે. ધારણું, ધ્યાન અને સમાધિને અંગે પતંજલિ કહે છે તે સમજવા જેવું છે. જે દેશમાં ધ્યેયનું ચિંતવન કરવાનું છે તે દેશમાં ચિત્તને સ્થાપન કરવું તે ધારણ છે. એ દેશ તે બાહા અને અતર બે પ્રકારને સમજે. બાહા પદાર્થમાં મહાત્મા પુરૂષથી પ્રતિષ્ઠિત મૂર્તિ, સૂર્ય ચાદિ પદાર્થ લેવા અને અલ્પતરમાં હૃદયકમળ, નાભી કમળ, બ્રહ્મરંધ્યાદિલેવાં. કમહમેશાં પ્રથમ બાહ્ય પદાર્થથી શરૂ કરે અને તેમાં પણ પ્રથમ મૂર્ત પદાર્થ લેવા. ધારણું દેશમાં ધ્યેયની એકતાનતાને ધ્યાન કહેવામાં આવે છે. ધારણમાં વૃત્તિનું એક દેશમાં સ્થાપન કરી ધ્યેય વસ્તુનું સ્વરૂપ રચવામાં આવે છે અને તે સિદ્ધ થવાથી તે વધુમાં વૃત્તિને એકાકાર પ્રવાહ ચાલે છે તેને ધ્યાન કહે છે. ધ્યાનમાં એ પ્રવાહ સતત ધારારૂપે ચાલતે નથી પણ વચ્ચે વિચ્છેદ પડી જાય છે. જ્યારે એ વિગઢ બંધ પડી જઈ સતત પ્રવાહ ચાલે છે ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે, પિતાના સ્વરૂપને ભૂલી જઈ માત્ર ધ્યેયને જ નિર્ભસ કરાવે તે સ્થિ * ગિશાસ્ત્ર પ્રકાશ છઠો. શ્લોક ૬. - - -
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy