SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ છ] આનદધન અને બાલુડે સન્યાસી. એગમાર્ગ પ્રમાણે આ ગાથાને અર્થ કર્યો. હવે “સહજસમાધિના અર્થમાં આ ગાથાપર વિચાર કરીએ. ઈડા એટલે ડાબા રસ્તે-રાગને માર્ગ અને “પિંગલા? તે જમણે રરો-દ્વેષને માર્ગ. આ રાગ દ્વેષના અને માર્ગ તજી દઈને તે સંન્યાસી! તું સુષણ એટલે મધ્યમ પ્રવાહ-મધ્યમ માર્ગ હવે વતીશ. અત્યાર સુધી રાગ ષના ભયંકર માર્ગ પર વિચરીને તે બહુ હાનિ કરી છે, એ માર્ગે જવાથી તે બહુ દુખ સહન કર્યા છે, મતલબ તે બને આડાઅવળા માર્ગ હોવાથી ત્યાં તારું આત્મધન લુંટી જનારા અનેક ચોરે બેઠા છે તે તને સહીસલામત કદિ પણ પાછા આવવા દે તે સમજવું નહિ તેથી એ ફૂટ માગ તજી દઈ સુષુણ્ણને મધ્ય માર્ગ-રાજ્યમાર્ગ ગ્રહણ કરીશ ત્યારે તને શું થશે તે કહે છે. “બ્રહર એટલે બ્રહ્માસ્વરૂપને રસ્ત, શુદ્ધ આત્મસ્વરૂપને રતે, એ રસ્તામાં આસનપૂરી એટલે સ્થિર થઈશ, મતલબ જ્યારે તને શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિરતા પ્રાપ્ત થશેતે વખતે તેમાં તને અપાર લય લાગશે અને તે તેમાં જ તરબળ થઈ જઈશ. સહજસમાધિના અર્થમાં અક્ષરાર્થ નીચે પ્રમાણે સમજ. ઈડા રાગમાર્ગ. પિગળા–ષમાર્ગ સુષુ=મધ્યમાર્ગ, રાગ દ્વેષ રહિત માર્ગ. ઘર-પરિણામ. બ્રહ્મરંધ-આત્મસ્વરૂપજ્ઞાન, આસનપૂરી–સ્થિર થઈ અનહદ=અપાર, તાન=લય, બજાસી =લગાડશે. બાબુ બંધુ, ભાઈ અહીં શબ્દના મુખ્ય અને ગૌણુ અર્થને પ્રશ્ન થાય છે તેથી આ અર્થ વિચારવા યોગ્ય છે. આ પ્રથમ ગાથામાં વેગને અંગે જે વિચારો બતાવ્યા છે તે બહુ વિચારવા ગ્ય છે. પેગ સંબંધી સંપ્રદાયી જ્ઞાન બહુ કમી થઈ ગયું છે તેથી વાંચનના પરિણામે અને અન્યત્ર તપાસ કરવાથી પ્રાપ્ત થયું છે તેને આ પદમાં ઉલ્લેખ કર્યો છે. રોગના વિષયનું પરિણાન મેળવવામાં બહુ પ્રત્યવા હેવાથી જ્યાં ખલના જણાય ત્યાં અભ્યાસીએ વિવેચન કરનારનું જરૂર ધ્યાન ખેંચવા વિનતિ છે. ગજ્ઞાન સબધી હાલ કેવી પરિસ્થિતિ છે તેપર ઉપોદ્દઘાતમાં વિશેષ ઉલ્લેખ કર્યો છે તેપર અત્ર ધ્યાન ખેંચવામાં આવે છે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy