SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠના પારણે એકાસણું કરી છઠ્ઠ કરવાનો નિર્ણય તેવું આપના માથે કાયમનું કલંક રહેશે. આવા કલંકથી બચવા માટે વહેલામાં વહેલી તકે સંઘની ઐક્યતા કરવાના પ્રયત્ન કરવા જોઈએ, તેમાં આપની શોભા વધશે. આપે ધર્મસ્થાનો મોક્ષની આરાધના સારી રીતે થાય તેમ કહીને ઊભા કરેલ છે. તેમાં અસંયમ ન પાષાય તે માટે– ૯ વાડેનું પાલન સારી રીતે થવું જોઈએ અને તેના ઉપાયે કરવા જોઈએ. વાડેના પાલનમાં ઢીલાસ કેાઈની ન આવે તે માટે સપ્ત થવું જોઈએ. અસંયમી સાધુઓ હોય ત્યાં પૂ. સાધ્વીજી મહારાજ સાહેબના ચાતુર્માસ કરાવવા નહીં. પૂ. સાધુ મહારાજ સાહેબે પૂ. સાધ્વીજી મહારાજ સાહેબ સાથે કઈ લેતીદેતીને વહેવાર કરવો નહીં. પૂ. સાધ્વીજી મહારાજ સાહેબને કેઈન મળે તેવી ચીજને ખપ પડે તે શ્રી વડીલ પાસેથી મંગાવી લેવી.' પૂ. બાપજી મહારાજ સાહેબને સમુદાય, પૂ. કનકસૂરીશ્વરજી મહારાજ સાહેબને સમુદાય તથા પૂ. દાનસૂરીશ્વરજી મહારાજને સમુદાય તેમજ આપની આજ્ઞા માનતા હોય તેમના સમુદાય પાસે નક્કી કરાવી આપે તે આરાધના માટે કરેલા સ્થાનેને સદ્દઉપયોગ થશે અને જે જે પુન્યશાળીઓએ લાભ લીધે છે તેમને ખૂબ આનંદ થશે તેમજ આપે સંચમ સારી રીતે સચવાય તેવા પ્રયત્ન કર્યો છે તે જાણી શ્રીસંઘને ખૂબ આનંદ થશે. સાધુની દીક્ષાતિથિ ઉજવવાની શાસ્ત્રદષ્ટિએ વ્યાજબી હોય તે, પ્રથમ ન ઉજવાય તેમ કહેલ છે તે, આત્માર્થી આત્માઓએ ખુલાસે કરી દે જોઈએ; અને શાસ્ત્રદષ્ટિએ ન જ ઉજવાય તેમ હોય તે વહેલી તકે બંધ કરાવી દેવું જોઈએ. આટલી પ્રમાણિક્તા રાખવી જ જોઈએ. શ્રી હસ્તગીરીજીના ટ્રસ્ટને આપે મીલ્કત સંભાળી ચાકણું કરાવી લેવું જોઈએ. ન થાય ત્યાં સુધી કેઈએ મદદ કરવી નહીં તેવી જાહેરાત વિભાગ પહેલો | ર૭
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy