SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ' હસ્તગિરિજી...દેવદ્રવ્યના..નાશનું પ્રતિક રહેશે ઘણું મહાત્માઓ કર્મવશ પડ્યા છે. પરંતુ જેમને ડંખ હતે તે કલ્યાણ સાધી ગયા છે. તેઓશ્રીએ જાહેરમાં ઉત્તમ દેખાવવાને કદી પ્રયત્ન કર્યો નથી. આપે દેશનામાં કુગુરુના લક્ષણ તથા મિથ્યાત્વનું લક્ષણ સમજાવેલ છે તેથી, આપના ઉપકારના સંબધે, ઉપકારને નજરસમક્ષ રાખીને લખું છું કે આપના તથા શાસનના હિત ખાતર છેલ્લી વૃદ્ધ અવસ્થાએ ભગવાનના માર્ગને ટકાવવા માટે પ્રયત્ન કરશો તે આપનું અત્યાર સુધીનું જીવનચરિત્ર લખાય છે તેમજ મોટા અનુષ્ઠાન કરાવી શાસનની પ્રભાવનાના નામે જે હેવાલે બહાર પડ્યા છે તેને લોકોને સદભાવ ટકી રહેશે. તેમજ આપને પણ શાસ્ત્ર અને સંયમ સાચવવા માટે નકકર કાર્ય કર્યાને આનંદ રહેશે. રાજકેટમાં પ્રામાણિકતાને આશરો લીધો હતો તે શાસનની મલીનતા થાત નહીં. આપ જે સ્થાને છે તે સ્થાનને શેભે તેવું કહેલ હત તે આટલે ફજેતે થાત નહીં. શાસનની વફાદારીથી આપે સાધુએને ઠપકે આપ્યો હતો અને શ્રી રાજુભાઈને સાંત્વન આપ્યું હેત તો આપને પાપને ઢાંકવા પ્રયત્ન કરવા પડે છે તે કરવા પડત નહીં તેમજ દંભ અને અસત્યની પરંપરા વધત નહીં. સંયમી મહાત્માઓને જે ત્રાસ આપ્યો છે જે સામાન્ય માણસ ન કરે. આવી ભૂલ કરીને આપે એક પ્રકરણ ઊભું કર્યું. હવે તે ભૂલને સુધારી લેવામાં જ મહાનતા છે. માટે કોઈની વાટાઘાટની રાહ જોયા સિવાય આપે જ સંચમી મહાત્માઓને જે રીતે સંતેષ થાય તેમ કરવું જોઈએ અને પરિપત્રથી, અન્યાય કરેલ છે તેમને, પુરેપુરો ન્યાય મળે તેમ કરી લેવું જોઈએ, તે જ પની પ્રતિષ્ઠા વધશે. તિથિની માન્યતા સાચવવા માટે શકય પ્રયત્ન કર્યા છે. હજી સંયમ માર્ગને સાચવવા વહેલામાં વહેલી તકે સંઘની એક્યતા થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. આપની હાજરીમાં ઐકય નહીં થાય તે પૂ. ગુરુદેવની ભાવનાને અસંયમના કારણે આપે નષ્ટ કરી નાખી છે* * ૨૬ | વિભાગ પહેલે
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy