SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ તૈયાર ન થાય તો તેઓનો મેહ ન રાખતા... છે, તેવાઓ કંઈકના જીવન બગાડી ધર્મસ્થાને અને તીર્થસ્થાનોનો નાશ કરશે. માટે કૃપા કરી અનર્થો અટકાવવા અને સંયમરક્ષા માટે અમલ કરાવવા વિન તી છે. ઘણું આપની આજ્ઞામાં હોવા છતાં શ્રી આચાર્યશ્રી ઉપરના ધર્મ પમાડવાના રોગના કારણનું બહાનું કાઢી અસંયમને ટે આપી આપની આજ્ઞા માનવા તૌયાર ન થાય તો તેઓને દેહ નહીં રાખતા. ૫ વડીલેની પ્રતિષ્ઠાને ધ્યાનમાં - રાખી સાધુતાની પવિત્રતા કેમ સારી રીતે વધે તે માટે પ્રયત્ન કરવા સેવની વિનંતી છે. દીક્ષાના રાગના કારણે હું સેંકડોની દીક્ષામાં સહાયક થથે છું. તેવા મહાન પુન્યાત્મા સાધુ-સાધ્વીજીએ દષ્ટિરાગથી ને પાપાનુબંધી પુન્યની લીલાથી આ જાઈ જઈ પક્ષના મોહના કારણે, જેમનામાં સાધુતાને અંશ નથી, અસયમને પાર નથી અને પાપને ડર નથી તેવા સાધુવેષમાં રહેલા ચારિત્રથી ખતમ થયેલાને, પૂ. મહાસતીઓની પવિત્રતાની કી મત નહીં અકતા, વંદન કરાવવામાં શું ધર્મની પ્રભાવના કરાવી ? હું તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે શું આ જૈન ધર્મની સ્થિતિ જેઓએ આ દીક્ષાઓ પાછળ લાખો રૂપિયા ખચી જેન સંધમાં પવિત્રતા કેમ વધે અને પ્રમાણિકપણે શાસનને ઉજળું બનાવવામાં સહાયક બનશે તેમ વિશ્વાસ રાખેલ તેને બદલે ધર્મને મડદું બનાવી દીધું. આથી બીજીકરણ થિતિ કઈ હોઈ શકે. આવા ભયંકર કાળમાં દીક્ષા માટે ચોક્કસ ધેરણ નહીં રાખવામાં આવે તે દીક્ષા ફારસરૂપ બની જશે. આત્મકલ્યાણ માટે નહી પણ જગતને છેતરવા માટે હતી તેમ જગત બોલતું થઈ જશે અને સાધુતાની ફજેતી અને નિંદા થશે. તેને અટકાવવા અને મહાસતીના સંયમની રક્ષા માટે જે ઉપાય કરવા પડે તે કરી, તેને અમલ કરાવવા પ્રયત્ન કરશો તે જ શાસનની પ્રતિષ્ઠા વધશે અને વડીલોનું રૂણ અદા કર્યું ગણાશે. પૂ. ગુરુદેવ આચાર્ય ભગવંતશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબે ઉપાશ્રયમાં બેડ મુકાવ્યા કે વ્યાખ્યાન સિવાય સાધ્વીજી કે બહેનેએ ન આવવું. આ આચાર્યશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી તથા તેમના સાધુઓ ઉપર સીધે ધા હતા તેવું લાગવા છતાં સંયમની રક્ષા ખાતર કેવું સખ્ત પગલું લીધું તેને વિચાર કરું છું ત્યારે લાગે છે કે આવા મહાસંયમી અને ચારિત્રનો ખપ હોય તે જ આવું પગલું ભરી શકે. પણ આવા દીર્ઘદૃષ્ટા મહાસંયમી મહાપુરુષોને ઓળખી શકયા નહિ. પૂ. ગુરુદેવના અથાગ રાગી અને પ્રેમી તેમના શિષ્યો જે થડા હતા ૧૨ વિભાગ બીજે
SR No.011587
Book TitleSanyam Raksha Ange Mari Manovyatha
Original Sutra AuthorN/A
AuthorDeepchand Vakhatchand Mehta
PublisherDeepchand Vakhatchand Mehta
Publication Year1985
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy