________________
(૩) વિદ્વાનોથી જૈન ફેમ મોટે ભાગે ઉપરના કારણથી જ બનશીબ રહે છે. જુની શૈ લીના સબળ પક્ષ તરફથી નવીન શૈલીને ત્વરિત સારે આવકાર મળશે એમ કહી શકાતું નથીતેના પર ઘણી ટીકાઓ થશે પરંતુ જમાને જે માગે છે, તેની કીંમત અવશ્ય થયા વગર રહેશે નહીં.
આ નવીન શૈલીના ગ્રંથમાં મહાવીરનું જે સિદ્ધાંતિક જીવન છે, તે મોટે ભાગે આત્મા અને પરમાત્મા વચ્ચેનો ભેદ, તેઓ વચ્ચેનો છુપો સંવાદ, અને તેંઓ વચ્ચેના નજીકના સંબંધની પ્રતીતિ કરાવવાના ધોરણને વધારે મળવું છે, મતલબ કે આ ગ્રંથમાં મહાવીર પ્રભુને અમુક મહાનું વ્યક્તિ તરીકે ગણવાને બદલે પરમાત્મા (આત્માની શ્રેષ્ટ સ્થિતિ) તરીકે ચિતરવામાં વિશેપ મુખ્યતા રાખવામાં આવી છે. અને તેથી કઈ કઈ બાબતમાં મહાવીર પ્રભુના ઐતિહાસિક જીવનની સાથે આ સિદ્ધાંતિક જીવનનો વિરોધાભાસ જણાય તો તે સંભવિત છે.
જે બાબતનું જ્ઞાન શબ્દોચર નથી અને તેને શબ્દગોચર કરવા જતાં જેને સાધારણું ખ્યાલ આપવાને ભાષાકેપ પણ પૂરતો નથી. તેવા અદશ્ય સ્વરૂપ વાળા પરમાત્માનું આત્માને જ્ઞાન થાય અને અરૂપી આત્મા કર્મથી મુક્ત થઈ અરૂપી પરમાત્મા થાય તે વિષેની સઘળી ઉત્તરોત્તર સ્થિતિ જે માત્ર અનુભવ ગોચર છે, તે સંસારના ક્ષણિક ઉદાહરણથી સિદ્ધ કરવા જતાં તેમાં મૂળ વાત વિષે ન્યૂનતા રહે એમાં કશે શક નથી. તે છતાં આ ગ્રંથમાં જે અનુક્રમથી આ
ભાને જાગ્રત કરી શ્રેણીએ ચડાવેલો છે, તેને જે ઉડે અભ્યાસ કરવામાં આવે તે મનુષ્યને અંતરંગ જગતનું ઘણું સૂક્ષ્મ જ્ઞાન થાય, એવી માન્યતા છે.
આ ગ્રંથમાં સરલ રીતે કઈ પણ શાસ્ત્રને આધાર રાખવામાં આવ્યો નથી, તેપણુ પર પગાએ શાસ્ત્રીય વિચારોની છાયા તેમાં પડેલી દેખાશે. તેમ છતાં હદયના અને આત્માના બળપર તેની ખમદારી રાખવામાં આવી છે અને તેમાં ટીકા કરી શકાય એ ઘણો ભાગ મળી આવવા સંભવ છે, કારણકે, લેખક અને વાચક બંને અપૂર્ણ આત્મા હોવાથી પૂર્ણ આત્મા વિષેના ગહન વિવયના રહસ્યમાં એક મત થઈ શકે એ વાત કાંઇક અસંભવિત જણાય છે, તેથી જેઓ આ ગ્રંથના કેઈ પણ પર સિદ્ધાતને અનુસરીને યંગ્ય ટીકા કરી અમારી ભૂલ બતાવશે તે તે મહદુપકાર સાથે સ્વીકારી સુધારવાલા રાખવામાં આવશે
આ લેખમાં વીર પ્રભુના વચનથી વિરૂધ્ધ કાંઈ પણ લખાયું હોય તો તે મિથાદુકૃત થશે.