SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર પ્રભુને એકાંતવાસ. ૧૦૭ યના પ્રમાણમાં જેનામાં તે જોવામાં આવે છે તેનું માહાસ્ય તેવ્યકત કરે છે. પરંતુ હવે જે આ સઘળું એજ પ્રમાણે હોય, જે જે વિચારે ઉપર જણાવ્યા તે સત્યના ધેરણ પર હોય એટલે કે આત્મા જેમ જેમ પૂર્ણ થતો જાય છે તેમ તેમ તેના દુખે, પાપ, શેક અને સંતા૫ જે આ જગતપર તેની આસપાસ જોવામાં આવે છે તે તેને ઘણી તીવ્ર અસર કરે છે તે પછી શ્રી મહાવીર પરમાત્મા કે જેઓ પરમાત્મપદની એકજ નજીક છે અને માનષિક અનુભવથી ઘણે દૂર તેમજ મનુષ્યજ્ઞાનથી પેલે પાર જેમનું જાગૃત જીવન છે તેમના દુઃખ કેટલાઅસહ્ય અને અસરકારક હશે? સૌથી નમ્ર, ઉમદા પ્રકારનું અને સિથી પવિત્ર હૃદય તેમનું જ હતું કે જે મનુષ્ય આત્મામાં હોઈ શકે નહિ, તેથી ઘેર ઉપસર્ગને સહન કરવાની એગ્યતા આસપાસના દુઃબેની અજમાયશ થઈ શકે તેવી ખાત્રી અને આવતા દુઃખનું ભવિખ્ય જ્ઞાન માત્ર તે વીરપ્રભુમાંજ હતું કે જેની મનુષ્યામાને કદિ અસ૨ પણ થઈ નહિ હોય તેના આત્માઓ આનંદ પવિત્રપણુમાં હતે. ઘણા ઉંડા અને તીવ્ર તિરસ્કારથી તેમણે પાપને પ્રતિબંધકીધું હતું પવિત્ર સ્વચ્છ ડાઘ વગરની કુદરતી આરસીમાં થોડા પણ બહારની અપવિત્રતાથી ઝાંખ અને ડાઘ લાગે છે તેપછી જે વીરપરમાત્માએ આ પાપથી ભરેલી દેખાતી દુનીઆમાં પાપકર્મને તદ્દન અટકાવ કરીને પૂર્વના કર્મશત્રુને ઘેર યુદ્ધમાં ત્રીશ વરસ સુધી એક સરખી રીતે દઢતાથી સામા થઈને આખરે જીત મેળવી છે, તેની બ. રાબરી કેણ કરી શકે તેવું છે. મનુષ્ય જાતપર દયા અને પ્રેમ રાખે તે ઘણુંજ નમ્ર હૃદયને આત્મા, પ્રાણું માત્ર પર ઘણુજ ઉદાર ઉપકાર કરનારે આત્મા જેમ શ્રી વીરભુ માણસ જાતના દીલગીરી અને દુઃખે સામે થયા તેમ કદી દઢતાથી સામે ટકી શકતા નથી. તે ઘણુંજ માયાળુ અને દયાળુ પરમાત્માએ આ કંગાળ જગતમાં શા માટે દુઃખ સહન કીધા હશે, શામાટે જગની દષ્ટિમાં આંસુઓ, દુ, વ્યાધિઓ અને ઉપસર્ગો જાણે જોઈને સહન કીધા હશે? મહાવીરનું જીવન પરમાત્મપદની છેક જ નજીક હતું, અને પરમાત્મા થવાને તેમ કરવાની જરૂર હતી, કેઈ પણ સામાન્ય મનુષ્ય અંતઃકરણ એવી રીતે પરમાત્માની નજીક આવી શકવાને સમર્થ
SR No.011581
Book TitleMahavira Prakash 01
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1910
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy