SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૫ તવાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તરઃ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે અને આ સ્વરૂપ જ “સત્' કહેવાય છે. પ્રશ્ન: નું સ્વરૂપ કેવું છે? ઉત્તરઃ સત-સ્વરૂપ નિત્ય છે, અર્થાત તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા શ્રવ્ય ક્યારેક હોય અને ક્યારેક ના હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે. એ જ " સતનું નિત્યત્વ છે. પિતપોતાની જાતિને ન છોડવી એ જ બધાં દિવ્યોનું ધ્રવ્ય છે, અને પ્રત્યેક સમયમાં ભિન્નભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમનો ઉત્પાદ-વ્યય છે. બ્રવ્ય તથા : ઉત્પાદ-વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે. આ ચક્રમાંથી ક્યારે ' પણ કોઈ અંશ મુક્ત-લુપ્ત થતું નથી એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. * પ્રશ્નઃ પ્રથમ સૂત્રમાં કોનું કથન છે અને દ્વિતીય સૂત્રમાં કેનું : કથન છે? ઉત્તરઃ પ્રથમ સૂત્રમાં થ્રવ્યનું કથન છે, તે દ્રવ્યના અન્વયી સ્થાયી અંશમાત્રને લઈને છે અને બીજા સત્રમાં નિત્યત્વનું કથન ' છે તે ઉત્પાદ, વ્યય અને દ્રવ્ય એ ત્રણે અંશોના અવિચ્છિન્નત્વને લઈને છે. આ જ પૂર્વ સૂત્રમાં કથિત દ્રવ્ય અને આ સૂત્રમાં કથિત નિયત્વની ' ' વચ્ચે અંતર છે. ' " હવે અનેકાંતના સ્વરૂપનું સમર્થન કરે છે . અર્પિતાનતિરિતઃ રૂશ (ગર્વિત+ગવંતષિ), છે. ': ' ' . શબ્દાર્થ . . afપૈત-અપણા–અપેક્ષાથી .. aiઉત—અર્પણું–બીજી અપેક્ષાએ..
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy