SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ભાષા, મન, પ્રાણ અને અપાન એ શાથી પૌલિક છે? ઉત્તરઃ ભાષા, મન, પ્રાણ અને અપાન એ બધાંનો વ્યાઘાત. અને અભિભાવ દેખાય છે એથી એ શરીરની માફક પૌગલિક છે. પ્રશ્ન : સુખ શું છે? ઉત્તર: જીવનું પ્રીતિરૂ૫ પરિણમે એ સુખ છે, જે શાતા વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય ક્ષેત્ર આદિ બાહ્ય કારણથી ઉત્પન્ન થાય છે. પ્રશ્ન: દુઃખ શું છે? . ઉત્તર: પરિતાપ એ જ દુઃખ છે. તે અશાત વેદનીય કર્મરૂપ અંતરંગ કારણ અને દિવ્ય આદિ બાહ્ય નિમિત્તથી ઉત્પન્ન થાય છે. - પ્રશ્ન: જીવિત અને મરણ શું છે? ઉત્તરઃ આયુષકર્મના ઉદયથી દેહધારી જીવના પ્રાણ અને અપાનનું ચાલુ રહેવું એ જીવિત છે અને પ્રાણ-અપાનને ઉચ્છેદ થવો એ ભરણ છે. પ્રશ્નઃ સુખ-દુઃખ આદિ પર્યાય છે પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે તેનું કારણ શું? ઉત્તરઃ સુખ-દુ:ખ આદિ પર્ય છોમાં ઉત્પન્ન થાય છે ખરા, પરંતુ તે પુદ્ગલ દ્વારા ઉત્પન્ન થાય છે એથી એ જીને પ્રતિ પુદ્ગલના ઉપકાર મનાય છે. હવે કાર્ય દ્વારા જીવનું લક્ષણ કહે છે: પરસ્પૌવગ્રહો નીયાના ૨૧ (પરવર+:નીવાનામ્) . , શબ્દાર્થ પરરવર–પરસ્પરના (એકબીજાના) ૩૧ –કાર્યમાં નિમિત્ત થવું નવનામૂ–જીવોને
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy