SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ - તત્ત્વાર્થસૂત્ર પ્રશ્નોત્તર દીપિકા ૧૮૧ એટલે કે અંશ થતા નથી એમ જે કહ્યું છે, તે દ્રવ્ય વ્યક્તિરૂપે; પરતુ પર્યાયરૂપે નહિ. પર્યાય તો એના પણ અંશોની કલ્પના કરવામાં આવી છે; કેમકે એક જ પરમાણુ વ્યક્તિમાં વર્ણ, ગંધ, રસ આદિ અનેક પર્યાય છે. તે બધા એ દ્રવ્યના ભાવરૂપ અંશે * જ છે. એથી એક પરમાણું વ્યક્તિના પણ ભાવપરમાણુ અનેક માનવામાં આવે છે. પ્રશ્નઃ ધ આદિના પ્રદેશ અને પુદ્ગલના પરમાણુ વચ્ચે શે તફાવત છે? ઉત્તરઃ પરિમાણની દષ્ટિએ કાંઈ તફાવત નથી. જેટલા ક્ષેત્રમાં " પરમાણું રહી શકે છે, એટલા ભાગને પ્રદેશ કહે છે. પરમાણુ અવિ ભાજ્ય અંશ હોવાથી એને સમાવવા માટેનું ક્ષેત્ર પણ અવિભાજ્ય જ હોવું જોઈએ. એથી પરમાણુ અને પ્રદેશ નામનું તત્પરિમિત ક્ષેત્ર અને એ પરિમાણની દૃષ્ટિએ સમાન છે. તે પણ એમની વચમાં એટલો - તફાવત છે કે પરમાણુ પોતાના અંશીભૂત સ્કંધથી અલગ થઈ શકે આ છે; પરંતુ ધર્મ આદિ દ્રવ્યોના પ્રદેશ પિતાના સ્કંધથી અલગ થઈ શકતા નથી. પ્રશ્નઃ નવમા સૂત્રમાં “અનંત પદ . એથી પુગલ દ્રવ્યના અનેક અનંત પ્રદેશ હોવાનો અર્થ તો નીકળી શકે છે, પરંતુ - અનંતાનંત પ્રદેશ હોવાનો જે અર્થ ઉપર કાવ્યો છે તે કયા પદથી ? ઉત્તર: અનંત પદ સામાન્ય છે, તે બધા પ્રકારની અનંત - સંખ્યાઓને બોધ કરાવી શકે છે. એથી જ એ પદથી અનંતાનંત અર્થ પણ કરી શકાય છે. ' હવે દ્રવ્યનાં સ્થિતિ ક્ષેત્રને વિચાર કરે છે. - રોજાશેSaઃ ૨૨ धर्माधर्मयोः कृत्स्ने ।१३।
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy