SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર સેન્દ્રિય તથા સાવયવ છે, આથી ઉક્ત પ્રકારના ઉપભાગ એમનાથી સિદ્ધં થઈ શકે; પરતુ તૈજસ શરીર સેન્દ્રિય પણ નથી અને સાવયવ પણ નથી;" તેા તેનાથી ઉક્ત ઉપભાગ હેાવાના સંભવ શી રીતે હોઈ શકે? ઉત્તર : જો કે તેજસ શરીર સેન્દ્રિય પણ ગ્રંથી તેમ સાયવ પણ નથી, તથાપિ એને ઉપભાગ પાચન આદિ એવા કાર્યમાં થઈ શકે છે જેનાથી સુખ-દુ:ખના અનુભવ આદિરૂપ ઉપભાગ સિદ્ થાય છે. તેનું અન્ય કાર્ય શાપ અને અનુગ્રહ પણ છે. વળી કેટલીક વખત તપસ્વીએ તપસ્યાજન્ય ખાસ લબ્ધિ પ્રાપ્ત કરી તે લબ્ધિથી કુપિત થાય છે ત્યારે સામાને બાળી નાખે છે અને પ્રસન્ન થાય છે ત્યારે સામાને તે શરીર દ્વારા શાંતિ અર્પે છે. આ રીતે તેજસ શરીરને શાપ, અનુગ્રહ આદિમાં ઉપભાગ થઈ શકવાથી, સુખદુઃખને અનુભવ, શુભાશુભ કર્મને બંધ આદિ ઉપભાગે એના મનાયા છે. મા 3 * પ્રશ્નઃ તેજસની માફક કામણુ શરીર છે તે તેને પણ ઉપભાગ આથી ધટી શકે, કેમકે તે જ અન્ય સર્વ શરીરનું મૂળ છે. આથી ખરું જોતાં અન્ય શરીરાના ઉપભાગ કાર્યણના ઉપભાગેા માનવા જોઇએ તે પછી એને નિરુપભાગ કેમ કહ્યું ? ઉત્તર : એ રીતે જોતાં તે કાર્ય સાપભાગ છે જ. અહીં તેને નિરુપભાગ કહેવાનું કારણ એટલું જ છે કે ખીજા શરીરાની સહાય વિના તે એકલું ઉપભાગને સાધી શકતું નથી. આથી સાક્ષાત સાધન તરીકે ઔદારિક આદિ ચાર શરીર છે. આથી તે ચાર શરીર સે।પભાગ-ઉપભાગ સહિત કહેવાય છે અને પરપરાથી સાધન હાવાને લીધે કાર્મણને નિરુપભાગ કહેવામાં આવ્યું છે. જન્મસિદ્ધતા અને કૃત્રિમતા પ્રશ્નઃ શરીરની જન્મસિદ્ધતા અને કૃત્રિમતાની હકીકત કહેા.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy