SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ઉત્તર: જે શરીર બાળી શકાય, અને જેનું છેદનભેદન થઈ શકે તેને ઔદારિક શરીર કહે છે. 1 . * પ્રશ્ન : વૈક્રિય શરીર કોને કહે છે ? ઉત્તર: જે શરીર ક્યારેક નાનું, ક્યારેક મોટું, ક્યારેક પાતળું, ક્યારેક જાડું, ક્યારેક એક, ક્યારે અનેક ઇત્યાદિ વિવિધ રૂપોનેવિક્રિયાને ધારણ કરી શકે તેને વૈક્રિય શરીર કહે છે. ' ' પ્રશ્નઃ આહારક શરીર એટલે શું? ઉત્તરઃ જે શરીર ફક્ત ચતુર્દશ પૂર્વધારી મુનિથી જ રચી ( શકાયું છે તે આહારક શરીર છે. * પ્રશ્ન : તેજસ શરીર કોને કહે? - ઉત્તરઃ જે શરીર તેજોમય હોવાથી ખાધેલા આહાર આદિને પચાવવામાં અને દીતિમાં કારણભૂત થાય છે તે તેજસ શરીર છે. પ્રશ્નઃ કાશ્મણ શરીર કોને કહે છે? ઉત્તર: કર્મસમૂહ એ જ કામણ શરીર છે. . - સ્થૂલ અને સૂક્ષ્મભાવ - પ્રશ્ન: તે શરીરે કેવાં છે? ઉત્તરઃ પાંચ શરીરમાં સૌથી અધિક પૂલ (જાડું) ઔદારિક - શરીર છે, વૈક્રિય એનાથી સૂક્ષ્મ છે. આહારક વિક્રિયથી પણ સૂક્ષ્મ છે. એ રીતે આહારકથી તેજસ અને તૈજસથી કાશ્મણ અનુક્રમે સૂક્ષ્મ, સૂકમતર છે.' પ્રશ્નઃ સ્કૂલ અને સૂક્ષ્મ અર્થ શો ? ઉત્તરઃ તેની રચનાની શિથિલતા અને સઘનતા (ગાઢપણું) એ ' છે, પરિમાણ નહિ. પ્રશ્ન: તેમની સૂક્ષમતાને સે કમ છે? * ઉત્તર : ઔદારિકથી વિક્રિય સૂક્ષ્મ છે, પરંતુ તે આહારથી છે
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy