SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧ - - ' તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ' વળી જડ-ચેતનરૂપ અનેક વ્યક્તિઓમાં જે “સપ’ સામાન્ય ' તત્વ રહેલું છે, તે તત્વ ઉપર નજર રાખી બીજા વિશેષોને લક્ષ્યમાં ન લેતાં એ બધી વિવિધ વ્યક્તિઓને એકરૂપે સમજી એમ વિચાર' વામાં આવે કે વિશ્વ બધું “સરૂપ” છે; કારણ કે સત્તા વિનાની કઈ : વસ્તુ જ નથી. ત્યારે તે સંગ્રહ નય થયો કહેવાય. ટૂંકાણમાં લખવાનું કે જે જે વિચારો સામાન્ય તત્ત્વને લઈ વિવિધ વસ્તુઓનું - એકીકરણ કરવા તરફ પ્રવર્તતા હોય તે બધા જ સંગ્રહ નયની - શ્રેણિમાં મૂકી શકાય. વ્યવહાર નય - વ્યવહાર નયની વ્યાખ્યાઃ સંગ્રહ ન ગૃહિત જે વસ્તુ તેને - ભેદાંતરે વિભાજન કહેતાં વહેંચવું તે વ્યવહાર નય છે. જેમ દ્રવ્ય એવું સામાન્ય નામ કહ્યું તેમાં વહેંચણ કરીએ. જે દ્રવ્યના બે ભેદ છે: - (૧) જીવ દ્રવ્ય અને (૨) અજીવ દ્રવ્ય. વળી તેમાં પણ વહેચણ ' કરીએ. જે જીવના બે ભેદ : એક સિદ્ધના અને બીજા સંસારીના..- એમ વહેચણ કરવી તે વ્યવહાર નયને સ્વભાવ છે. '', વિવિધ વસ્તુઓને એકરૂપે સાંકળી લીધા પછી પણ જ્યારે , તેમની વિશેષ સમજ આપવાની હોય છે કે તેમનો વ્યવહાર-ઉપયોગ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે તેમને વિશેષરૂપે ભેદ કરી પૃથક્કરણ કરવું પડે છે. કપરું કહેવાથી જુદી જુદી જાતનાં કપડાંઓની સમજ ' પડતી નથી, અને માત્ર ખાદી લેવા ઈચ્છનાર કપડાંને વિભાગ કર્યા , સિવાય તે મેળવી નથી શકતો; કેમકે કપડું અનેક જાતિનું છે તેથી ખાદીનું કપડું, મિલનું કપડું એવા ભેદો કરવા પડે છે. 1 તત્વજ્ઞાનના પ્રદેશમાં “સંદુરૂપ વસ્તુ જડ અને ચેતન બે પ્રકાર. ની છે, અને ચેતન તત્વ પણ સંસારી અને મુક્ત એમ બે પ્રકારનું : - છે વગેરે પૃથક્કરણ કરવું પડે છે. આ જાતના પૃથક્કરણોન્મુખ બધા ' વિચારો વ્યવહાર નયની શ્રેણિમાં મૂકવામાં આવે છે.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy