SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ સૂયગડાંગ સૂત્ર मूलम्- भगवं च णं उदाहु संतेगइया पाणा अप्पाउया, हिं समणोवासगस्स आयाणसो आमर गंताए जाव दंडे निक्खित्ते भवइ । ते पुवामेव करेति करेत्ता पारलोइत्ताए पच्चायति । ते पागावि वुच्चंति ते तसावि वुच्चंति, ते महाकाया, ते अप्पाउया, ते बहुयरगा पाणा, जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवइ, जाव नो नेयाउए भवइ ॥२५।। અર્થ - ગીતમઃ-હે નિર્ચ છે. કેટલાંક જીવો શ્રાવકનાં આયુષ્યથી અલ્પ આયુષ્યવાળાં હોય છે. એ અપેક્ષાએ શ્રાવકનાં વ્રત સુવ્રત કહેવાય છે. અલ્પાયુષવાળા જીવો મૃત્યુ પામી ત્રસ એનિમાં ઉત્પન્ન થતાં શ્રાવકને તેની હિંસા કરવાના પ્રત્યાખ્યાન હોય છે. જે જે ગતિમાં ત્રસ જીવો રહેલાં છે તે તમામનાં તેમને હણવાનાં પચ્ચખાણ હોવાથી શ્રાવકનું પ્રત્યાખ્યાન સ્વવિષયી છે. કેઈપણ કાળે આ લેકમાં ત્રસજીવોનો અભાવ થવાનો નથી. તેથી જ્યાં જ્યાં ત્રસ જી છે તે ત્રસજી આ શ્રાવકનાં વ્રતથી નિર્ભય છે અને શ્રાવક પણ તેઓની હિંસા કરવાના ઈરાદાથી નિવૃત્ત હોવાથી તેને શાંતિ અને સુખ પ્રકટ અને અપ્રકટપણે મળે છે તેથી શ્રાવકનાં વ્રત સુપ્રત્યાખ્યાન છે. मूलम्- भगवं च णं उदाहु संतेगइया समणोवासगा भवंति सि च णं एवं वृत्तपुव्व भवइ नो खलु वयं संचाएमो मुंडे भवित्ता जाव पव्वइत्तए । नो खलु वयं संचाएमो, चाउदसहमुदिट्ठ पुण्णमासिणीसु पडिपुन्नं पोसहं अणुपालित्तए, नो खलु वयं संचाएमो अपच्छिमं जाव विहरित्तए, वयं च णं सामाइयं देसावगासियं पुरत्था पाईणं वा पडीणं वा दाहिणं वा उदीणं वा एतावता जाव सव्वपाहि जाव सव्व सहि दंडे निक्खित्ते सव्वपाणभूयजीवसहि खेमंकरे अहमंसि । तत्थ आरेणं जे तसा पाणा जेहिं समणोवासगस्स आयाणसो आमरणंताए दंडे निक्खित्ते । तओ आउयं विप्पजहंति विप्पजहिता, तत्थ आरेणं चेव जे तसा पाणा |ह समणोवासगस्स आयाणसो जाव तेसु पच्चायंति जेहि समणोवासगस्स सुपच्चक्खायं भवति । ते पाणावि जाव अथंपि भेदे से नो नेयाउए મવડુ રદ્દા અર્થ :- ગૌતમઃ કેઈ શ્રમણોપાસક એ વિચાર કરે કે અમે દીક્ષા ગ્રહણ કરી શકશું નહિ તેમજ આઠમ-ચૌદશ પાખી પૌષધ કરવા કે વ્રત અને સથારે પણ ગ્રહણ કરવા સમર્થ નથી પરત સામાયિક વ્રત અને દેશાવગાસિક વ્રત (સાવધ વ્યાપારને ત્યાગ) અગીકાર કરશે અને દરરોજ સવારે ચારેય દિશાઓમાં જઈ વ્યાપાર આદિ સાવદ્ય (પાપકારી) ક્રિયાઓ કરવાનું પરિમાણ કરશું આ પ્રકારે શ્રાવકે કરેલી મર્યાદાથી તે મર્યાદા બહાર રહેલાં પ્રાણીઓનાં ઘાતથી આવા શ્રમણોપાસક બચી જાય છે અને આ પ્રમાણે વ્રતગ્રહણના સમયથી માંડી જીવનપર્યત માટે તેઓ હિંસાનો ત્યાગ કરે છે. આ વ્રત લેનાર શ્રાવકે સુવ્રતવાળા કહેવાય છે. કારણ કે તેઓએ જે મર્યાદા બાંધી છે તે મર્યાદા બહારનાં ત્રસ પ્રાણીઓને પિતા તરફથી હિંસા થતી નથી તેથી શ્રાવકનાં વ્રત સ્વવિષયી કહેવાય છે
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy