SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૧૧૭ લાવી મિથ્યા ભાષણ કરે છે તેવા સાધકે સતમ ગુણોના ભાજન બની શકતા નથી (કદાગ્રહને લીધે વસ્તુને સત્યપણે સમજવા છતાં વિવેક–શૂન્ય થઈ વિપરીત પણે વર્તે તો તે સંસાર પરિભ્રમણ કરે છે) मूलम्- जे यावि पुट्ठा पलिउंचयंति, आयाणमट्ठः खलु वंचयित्ता । असाहुणो ते इह साहुमाणी, मायण्णि एसंति अणंतधायं ॥४॥ અર્થ : જે માયાવી સાધકને તેમનાં ગુરુનું નામ જે કઈ પૂછે તે આ અભિમાની સાધક પોતાનાં અહંભાવનાં કારણે ગુરુનાં નામને છુપાવી કેઈ અન્ય વિદ્વાન આચાર્યનાં નામને આગળ ધરે છે આવા માયાવી સાધકે મોક્ષથી વંચિત રહે છે. વળી પિતામાં સાધુ તરીકેના ગુણે નહિ હોવા છતાં પોતે પોતાને સાધુ માને છે આવા માયાવી સાધુઓ અનંત સંસારમાં રખડે છે. मूलम्- जे कोहणे होइ जगभासी, विओसियं ज उ उदीरएज्जा। अंधेव से दंडपहं गहाय, अविओसिए घासइ पावकम्मी ॥५॥ અર્થ : જે પુરુષ કષાયેનાં ફળને જાણતો નથી તેથી સદાય કેધ કરી અન્ય વ્યકિતઓનાં દે પ્રકટ કરી પરની નિંદા કરે છે તેમજ શાંત થયેલા કેલેશેને ફરી ઉત્પન્ન કરે છે. આવા પાપી જી જેમ અંધ મનુષ્ય માર્ગને અજાણ હોવાથી લાકડીનાં ટેકે ટેકે ઉનમાર્ગને પામી દુઃખી થાય છે તેમ આવા કેધી મનુષ્ય તેમજ સાધકો દુઃખી થાય છે તેથી આત્માથી સાધકેએ કષાયથી –કલેશથી – સદા દૂર રહેવું ઉપશાંત ભાવે રહી સયમનું પાલન કરવું.) मूलम्- जे विग्गहीए अन्नायभासी, न से समे होइ अझंझपत्ते । ओवायकारी य हरीमणे य, एगंतदिट्ठी य अमाइरूवे ॥६॥ અર્થ : પરમાર્થ તત્તવના જ્ઞાનથી રહિત એવો પુરુષ સદાય કલેષ કરનાર તથા અન્યાયથી ભાષણ કરનાર હોવાથી તે સમાધિને પામી શકતા નથી. આ પુરુષ કલેશરહિત નહિ હોવાથી આમ-હિત પણ કરી શકતો નથી જેથી એવા સાધકે જન્મ મરણનાં દુઃખ ભેગવે છે પરંતુ જે સાધક ગુરુની આજ્ઞાએ ચાલનાર, પાપકર્મથી લજજા પામનાર. જીવ આદિ તોમાં શ્રદ્ધા રાખનાર, અમારી હોય તે સમાધિને પ્રાપ્ત કરી શકે છે मूलम्- से पेसले सुहमे पुरिसजाए, जच्चन्निए चेव सुउज्जुयारे । बहुं पि अणुसासिए जे तहच्चा, समेहु से होइ अझंझपत्ते ॥७॥ અર્થ : સાધકને પ્રમાદને લીધે કઈ દેષ ઉત્પન્ન થયે હોય અને તેને શિખામણ પ્રાપ્ત થતાં પ્રસન્ન ચિત્ત દોષને ખમાવે, ધ ન કરે, એ સુક્ષ્મદશી પુરુષાથી જાતવંત, સરળ સાધક, સંયમનું પાલન કરતો થકે નિષ્કપટી બની સમભાવપૂર્વક રહે છે તેવા સાધકે વીતરાગ પુરુષોની સમાન માનવા ચગ્ય ગણવા (જે સાધકને પિતાને દોષ સમજાય તે જ સમાધિને પ્રાપ્ત કરી શકે)
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy