________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
જવાના છીએ, રોડાં વગેરે વોસિરે કરવાના છે તે સરાવતાં વાર કેમ થાય? વિપત્તિ જાણવા છતાં છેડતા નથી,
વિકટ વિપત્તિઓ વેઠીને છોડવાની છે, તે પછી વિકટ વિપત્તિ દે એની પહેલાં ચેતી જાય તે શું ખોટું? કરો કે કૂતરાં શેરીમાં માર પડશે એવું દેખે તે પાછાં વળી જાય. પણ આ તો આટલી વિપત્તિએ પાછા ફરતે નથી. માને છે, સમજે છે, રેડાં કુક વગેરેને લીધે જ વિપત્તિ છે, છતાં છેડવા તૈયાર નથી. દારૂડિયાનું દૃષ્ટાંત
દારૂના ચડસમાં ચઢેલો ઘરેણું ખોઈ આવે, કૂતરાં મોઢામાં , મૂતરે, એ છતાં બધું કાન નીચે કાઢી નાખે. જેમ દારૂડિયો થતી વિપત્તિને ધ્યાનમાં ન લે, તેમ આ રેડાં વગેરેને લઈને કેવી સ્થિતિમાં છીએ તે જાણ્યા છતાં ઊંઘમાંથી ઊઠવાવાળો આળસ મરડે તેમ આળસ પણ મરડતો નથી; પછી એના ભરોસે કેમ રહેવાય? ભાડૂતી ને માલિકીનું ઘર.
ચાલુ વાત પર આવ-દેશવિરતિવાળો સાચી માન્યતાવાળે છે, છતાં વર્તન એવું છે કે કેટલાક એને ઢંગનું સ્વરૂપ આપે. કહેવાવાળા મળે છે કે સાત લાખ કહીને મિચ્છા મિ દુક્ષ કહી આવ્યા, પણ તેમાં વળ્યું શું? પાછે ધંધે ચલાવ્યું. એને અર્થ જ “ગ” કહેવું કઈ, માનવું કંઈ અને વર્તનમાં મૂકવું કંઈ વિચારમાં અઢાર પાપસ્થાનક છોડવાં અને વર્તનમાં દેખીએ તે પહેલાં નંબરમાં અઢારે પાપસ્થાન કે મેલવામાં આવતાં હોય તે શું કહેવું? કહે ચોથા પાંચમા ગુણઠાણવાળા જિનેશ્વરના શાસનને ઘર તરીકે રાખતા નથી, ભાડૂતી તરીકે