________________
વ્યાખ્યાન ૪ પુરુષાર્થનું સ્વરૂપ
શાસ્ત્રકાર ભવ્ય જીના ઉપકાર માટે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પહેલા ઉદેશાની રચના કરતાં પાંચ મહાવ્રત છે તે જણાવી ગયા છે. જગતમાં ચાર પુરુષાર્થ છે તે કયા પુરુષાર્થમાં યત્ન કરવો જોઈએ અને એને ઉપદેશ દેવાની જરૂર શી? અર્થ અને કામ એ બેને મનુષ્ય પ્રયત્ન કરીને મેળવે છે તેથી એને “પુરુષાર્થ કહેવામાં આવેલા છે. વસ્તુતઃ મોક્ષ સિવાય પુરૂષાર્થ નથી. ધર્મ એ પુરૂષાર્થ નથી. વિવેકીઓએ પ્રાપ્ત કર્યા પછી જે છોડવાનું હોય નહિ, તેને પુરૂષાર્થ કહે છે. અર્થ ગ્રહણ કર્યા છતાં મેક્ષને માટે-કલ્યાણને માટે, સર્વથા પરિગ્રહને છોડવાને છે. પત્થર ઉપર કેર્યા ધૂળથી ન ભુસાય
શાસ્ત્રકારના ઉપદેશથી કેટલાક છેડે, પણ શાસ્ત્રકારના ઉપદેશમાં ન આવે તે સજ્જનતા રાખે તે બોલવામાં વિચાર કરે પડે, કારણ સજજન મનુષ્ય ધારીને જ બોલે, પણ નાનાં છોકરાં, બૈરી આળસમાં બેલે છે ત્યારે એ ખ્યાલ વાળાં હોતાં નથી. આળસમાં, હાંસીમાં કે નિદ્રામાં જે શબ્દ સજ્જનથી બેલાઈ ગયા હોય, તે કોઈ દિવસ પલટે જ નહિ. સ્લેટ(slate)માં, છોકરાઓ લખે છે, હાથ ફેરવે એટલે ભુસાઈ જાય. પત્થર ઉપર કતરેલા અક્ષર ન તે હાથથી ભુસાય, ન રબર(rubber)થી કે પાણીથી ભુસાય. પત્થર ઉપર ટાંકણ વડે
દેલા અક્ષરે ધૂળ ખસેડે તે ચોખા થાય. બીજા અક્ષરે ભુસવાનું જે સાધન તે જ અહીં આગળ ઊલટા સ્પષ્ટ થવાનું સાધન છે.
r