SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વસુદેવનું ચરિત્ર ૧૦૩ વરે, તે પ્રમાણ થાય. ” તે વખતે ન્યાયને જાણનાર વિદુર રાજા બે-તે રાજન! એ ઠીક છે, પરંતુ એ વરને તેના કુલાદિક તે પૂછવા જોઈએ.” ત્યારે વસુદેવે કહ્યું કે- કુળ કહેવાને શું આ પ્રસંગ છે? કારણકે ગમે તેવા મને એ વરી. સહન ન કરનાર જે આ મારી સ્ત્રીનું હરણ કરશે, તેને ભુજાનુ બળ બતાવીને હું મારું કુળ કહીશ ” આ તેનું ઉદ્ધત વચન સાંભળીને ક્રોધમા આવેલ જરાસં છે સમુદ્રવિજયાદિક રાજાઓને હુકમ કર્યો કે–પ્રથમ તે રાજાઓની સાથે વિરોધ કરનાર અધમ એવો આ રૂધિર રાજા છે, અને બીજે આ વાદક પટહ વગાડવાથી ઉન્મત્ત થયે છે, કારણકે એ રાજકન્યાને પામ્યો, છતાહે રાજાઓ ' જુઓ તે ખ, એટલેથી પણ એ વૃત થતા નથી. વાયુના વેગે નીચે પડી ગયેલ ઉંચા વૃક્ષના કુલની પ્રાપ્તિથી વામન (ઠીંગણ) ની જેમ એ મદાંધ બની ગયા છે. માટે આ રૂધિર અને વાદકને તરત મારી નાખે. એમ જરાસ ધના કહેવાથી તે સમુદ્રવિજયાદિક રાજાએ સંગ્રામ કરવા સજજ થઈ ગયા એટલે દધિમુખ વિદ્યાધર પતિએ પિતે સારથિ થઈને સંગ્રામને માટે તૈયાર થયેલ વસુદેવને રથમા બેસાર્યો, અને ત્યારે વિગવતીની માતા અગારવતીએ આપેલ ધનુષ્ય અને બે ભાથાને મહા બલવાન વસુદેવે લઈ લીધા. હવે જરાસ ધ વિગેરે રાજાઓએ રૂધિર રાજાનું સૈન્ય ભાગી નાયુ, એટલે વસુદેવે દધિસુખ સારથિના હાથે અશ્વો ચલાવ્યા અને પ્રથમ સામે આવેલ શત્રુંજય વૈરીને તેણે જીતી લીધે, દંતવક રાજાને ભાગી નાખ્યા અને શલ્યરાજને પણ ભાગી નાખે, ત્યારે જરાસ છે સમુદ્રવિજઅને શંકાપૂર્વક કહ્યું–આ વાદકમાત્ર નથી, પરંતુ અન્ય રાજાઓને એ મારા મુશ્કેલ છે. માટે તે પોતે ઉઠીને એને માર, એને મારતા રહિણી તારીજ થશે, અને બધા રાજાઓને ભંગાણુથી થયેલ વૈલક્ષ્યનું નિવારણ કર” ત્યારે સમુદ્રવિજય બે કે-પરસ્ત્રીથી મારે પ્રોજન નથી, પણ તારી આજ્ઞાને લીધે આ બલવતની સાથે હું યુદ્ધ કરીશ.” એમ કહીને સમુદ્રવિજય પિતાના બે ધુની સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે બનેનું જગતને આશ્ચર્ય પમાડનાર ચિરકાલ શસ્ત્રયુદ્ધ થયું. આ કોઈ મારા કરતાં પણ સમર્થ છે.” એમ સમુદ્રવિજય વિચારતા હતા, તેવામા વસુદેવે તેની આગળ સાક્ષર બાણ છેડયું, ત્યારે સમુદ્રવિજય તેને લઈને તે અક્ષરે વાંચવા લાગ્યું કે-તે વખત કપટથી બહાર નીકળી ગયેલ વસુદેવ તને નમન કરે છે. એટલે હર્ષ પામેલ સમુદ્રવિજય “હે વત્સ ! હે વત્સ!” એમ બાલતે, સાકાલે વાછરડાને મળવાને ઉઠિત થયેલ ગાયની જેમ રથને ત્યાગ કરતે તે ઉતાવળથી દે . તેવામાં તરતજ રથ થકી ઉતરીને વસુદેવ પણ તેના પગે પડશે, અને સમુદ્રવિજય રાજાએ તેને ઉપાડીને પોતાની બને ભુજાથી તરત આલિંગન આપ્યું. “હે વત્સ ! વરસ તુ કયા હતા?” એમ સમુદ્રવિજચે પૂછતાં વસુદેવે બધે વૃતાત આદિથી કહી સંભળાવ્યું. તેવા પ્રકારના પરાક્રમ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy