________________
૧૨
ખસતે જાય છે તેમ તેમ પ્રથમ પ્રકાશિત ક્ષેત્રના અમુક વિભાગમાં અંધકાર થવા સાથે આગળ આગળના ક્ષેત્રમાં પ્રકાશ આપે છે. તે જ પ્રમાણે નિષધપર્વત ઉપર ઉદય પામતો સૂર્ય પ્રારંભમાં પોતાનું જેટલું પ્રકાશ્ય ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં આવતા નજીકના ભાગને પ્રકાશ આપે છે અર્થાત્ તે સ્થાનમાં રહેલા મનુષ્યને સૂર્યનો પ્રકાશ મળવાથી સૂર્યોદય થવાનું ભાન થાય છે. મેરૂની પ્રદક્ષિણાના ક્રમે ફરતે સૂર્ય જેમ જેમ આગળ આવે છે તેમ તેમ પાછળના ક્ષેત્રમાં અંધકાર થવા સાથે ક્ષેત્ર સંબંધી આગળ આગળના વિભાગોમાં પ્રકાશ થતે જેવાથી તે વખતે સૂર્યોદય થયે તે ખ્યાલ આવે છે. અને એ હિસાબે ભરતક્ષેત્રના અર્ધ વિભાગમાં રહેલા પાંચે દેશમાં સૂર્યોદય તેમ જ સૂર્યાસ્તનું દશ કલાક આઠ કલાક કિવા કલાક અંતર પડે તેમાં કઈ પ્રકારને વિરોધ આવતો હોય તેમ જણાતું નથી. આ જ વસ્તુને વિશેષ વિચારશું તે ચેકકસ જણાઈ આવશે કે અમદાવાદ, મુંબઈ કે પાલીતાણા કઈ પણ વિવક્ષિત એક સ્થાનને આશ્રયી દિવસનું પ્રમાણ બાર કલાક તેર કલાક અથવા ચોદ કલાક ભલે રહે પરંતુ દક્ષિણાઈ ભરતના પૂર્વ છેડા ઉપર જ્યારથી સૂર્યને પ્રકાશ પડ્યું ત્યારથી ઠેઠ પશ્ચિમછેડા સુધી સૂર્યાસ્તના સમયને ભેગો કરીશું તો આઠ પ્રહર અર્થાત ૨૪) કલાક સુધી સમગ્ર ભરતક્ષેત્રના કોઈ પણ વિભાગની અપેક્ષાએ સૂર્યના પ્રકાશનું અસ્તિત્વ હોય તેમાં કોઈ પણ બાધક હેતુ દેખાતો નથી. પૂર્વનિષધની નજીક જગ્યાએથી સૂર્યને દેખાવ થતો હોવાથી અને પશ્ચિમ નિષધની નજીક જાય ત્યારે અદશ્ય થતો હોવાથી તેનું પરિધિ ક્ષેત્ર લગભગ સવાલાખ જન પ્રમાણ થાય, ને કલાકના પાંચ હજારના હિસાબે સૂર્યગતિ ગણતાં ચોવીસે કલાક સૂર્ય સમગ્રભરતમાં દેખાય તેમાં હરકત નથી. શ્રી ચંદ્રપ્રસરા વિગેરે ગ્રંથોમાં પણ એ જ વસ્તુના વિશેષ નિશ્ચય માટે ભરતક્ષેત્રમાં આઠ પ્રહર સુધી સૂર્યનો પ્રકાશ હોવાનું જણાવવામાં આવે છે. તે પણ ઉપરની વાતને વિશેષ પુષ્ટિ આપે છે. એથી અમેરિકામાં આ ક્ષેત્રની અપેક્ષાએ સૂર્યોદય દશ કલાક મોડા થાય છે. એટલે કે અહિ દિવસ હોય ત્યારે ત્યાં રાત્રિ હોય છે અને ત્યાં રાત્રિ હોય ત્યારે અહિં દિવસ હોય છે, એ કારણથી અમેરિકાને મહાવિદેહ ક૯પવાની મૂર્ખાઈ કરવી તે વિચારશૂન્યતા છે.
१ पढमपहराइकाला, जंबुद्दीवम्मि दोसु पासेसु। लन्भंति एगसमयं, तहेव सव्वत्थ नरलोए ॥१॥ पढ । प्रथमप्रहरादिका उदयकालादारभ्य रात्रेश्चतुर्थयामान्त्यकालं यावन्मेरोः समन्तादहोरात्रस्य सर्वे कालाः समकालं जम्बूद्वीपे पृथक् पृथक् क्षेत्रे लभ्यन्ते । भावना यथा-भरते यदा यतः स्थानात् सूर्य उदेति तत्पाश्चात्यानां दूरतराणां लोकानामस्तकालः । उदयस्थानाधोवासिनां जनानां मध्याह्नः, एवं केषाञ्चित् प्रथमः प्रहरः, केषाञ्चिद्वितीयः प्रहरः, केषाञ्चित्तृतीयः प्रहरः, क्वचिन्मध्यरात्र, क्वचित् सन्ध्या, एवं विचारणयाऽष्टप्रहरसम्बन्धी कालः समकं प्राप्यते । तथैव नरलोके सर्वत्र ગઢડા તમે સતત સૂર્યપ્રમાણેના પ્ર સંભાવનું વિચમ્ ! (ભાવાર્થ સુગમ છે.)