SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પરમાત્માનું પ્રરૂપેલું સંયમ શ્રેષ્ઠ છે અને સંયમનું પાલન પણ શ્રેષ્ઠ છે. અને સંયમમય બની જવું તે અતિશ્રેષ્ઠ છે જેટલી ચીજ મૂલ્યવાન તેટલા તેના જતન પણ ઝાઝેરા જ કરવાના...ને ! સંયમન પાલન માટે જ્ઞાન ખૂબ જરૂરી છે જ્ઞાન વગર સંયમના પાલન મહાવિદેહ ક્ષેત્રમાં પણ ન થઈ શકે તે ભરતક્ષેત્રમાં કયાંથી થઈ શકે ? ઋજુ અને પ્રાણ ૨૨ તીર્થંકર પરમાત્માના સાધુઓ પણ જ્ઞાન વગર સંયમનું પાલન ન સમજી શકે તે પરમાત્મા મહાવીરના વ અને જડ સાધુઓ જ્ઞાન વગર સંયમની પાલના કેમ સમજી શકે ? આંખ વગર જેમ દેખી ન શકાય, કાન વગર સાંભળી ન શકાય તેમ જ્ઞાન વગર સંયમ સમજી ન શકાય તે પાલન કયાંથી ? જેમ જીવન ધારણ માટે પ્રાણ જરૂરી છે તેમ સંયમ પાલન માટે જ્ઞાન જરૂરી. ભયંકર જંગલમાંથી પસાર થવું હોય પણ સાથે ભોમિયે ન હોય તે અરવી પસાર ન થઈ શકે. દુરકર સંયમનું પાલન કરવું હોય તે જ્ઞાન વગર થઈ શકે ? એક સ સારી અજ્ઞાની હોય તે ચાલે, પણ સાધુ અજ્ઞાની હોય તે ચાલે ? તેની સાધના જ્ઞાન વગર રભે પડી જાય. સાધુ અજ્ઞાની રહે તે તેના સંયમના પાલન, મહાવ્રતના રક્ષણ તુટી પડે છવનમાં જેટલી આખની આવશ્યકતા તેથીય અધિક સંયમપાલનમાં જ્ઞાનની આવશ્યકતા જ્ઞાન ન હોય તે સત્તર પ્રકારનો સયમ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તો સંયમનાં ૭૦ ભેદ કેવી રીતે જાણે ? જ્ઞાન ન હોય તે ચરણસિત્તરી અને કરણસિત્તરીના ભેદ કેવી રીતે સમજી શકે ? જ્ઞાન ન હોય તો પૂજ્ય અપૂજ્યના ભેદ કેવી રીતે જાણી શકે છે જ્ઞાન ન હોય તે આરાધના વિરાધનાનું પૃથ્થકરણ કેવી રીતે કરી શકે ? જ્ઞાન વિના સંયમવિરાધના અને આત્મ વિરાધનાના રહસ્ય કેમ સમજી શકે ? નાન વગર વીતરણ દેવ અને મિથ્યાત્વી દેવા ભેદને કેમ જાણી શકાય? ભલા સંયમ પાળવું છે તે કમ્મર કસી પુરૂષાર્થ કર અને તેમાં પણ
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy