SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ઋજુદર્શન એટલે દેહની સીમિત શકિતના દર્શન ઋજુદર્શન એટલે આત્માની અનંત શક્તિના દર્શન ઋજુદર્શન એટલે દેહ અને દહીના વિવેકનું દર્શન ઋજુદર્શન એટલે સયમની સાધના દ્વારા સિદ્ધિના દર્શન જુદર્શન એટલે એક એક સમ્યગ આચારના પાલનમાં સંપૂર્ણ સાધુતાના દર્શન ઋજુદર્શન એટલે એક અક્ષરના પણ સમ્યગ જ્ઞાનમાં કેવળજ્ઞાનના કેવળજ્ઞાનના દર્શન જુદર્શન એટલે અનંત જડશકિતને તિરસ્કાર ઋજુદર્શન એડલે અનંત આત્મશકિતને સત્કાર એ મનક ! તારે જન્મ જન્મના ફેરા ટાળવા છે? જેને જન્મના ચક્ર મીટાવવા છે. રાગદેપની ભમરીમાંથી દૂર જવું છે તેને ઋજુદશ થવું જ પડે. કપરું કાર્ય છે અન તકાળથી શીખેલા ગણિતના ગોટાળા દૂર કરવા પડશે. કક્ષાએ તને સુખમાં દુખ અને દુખમાં સુખના ભ્રામક ખ્યાલે પિષ્યા છે. આશકિતએ તને અનાશકિત નિરાશસભાવ સામે નજર નાંખવા દીધી નથી. તેથી તારા પ્રાથમિક જીવનમાં પ્રાથમિક ગુણનો પહેલો પાઠ ભણતા ગોખવાનું નહિં રટવાનું નહિ પણ જીવનના શ્વાસે શ્વાસમાં વણી લે, આચરી લે, હજુદશતાના આ ગુણ સહજ દર્શન સાથે સંકળાયેલ છે. પણ તેનું રહસ્ય આચાર સાથે વણાયેલું છે. એ ભૂલતે નહિ હો! પ્રભુમાર્ગને અનુયાયી સાચા માર્ગની એકલી ઘા નથી...પણ. એકલી બુમાબુમ તો પાંગળા કરે... પ્રભુમાર્ગના અનુયાયીને સમ્યગદર્શન સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થાય. તેથી જ બાળક મનકને પિતા ઋજુદશી થવાના બહાને યથાખ્યાત ચારિત્ર તરફ મીટ માંડ કરી દે છે.
SR No.011559
Book TitleAgam 42 Mool 03 Dashvaikalik Sutra Chintanika
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Rajyashvijay, Vachamyamashreeji
PublisherLabdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publication Year
Total Pages281
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_related_other_literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy