________________
६०८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
જીવાસ્તિકાયના પર્યાયે કેટલા?
ભગવતે કહ્યું કે આના અનેક પર્યા છે. અસ પેયપ્રદેશાત્મક હોવાથી જીવને જીવાસ્તિકાય કહેવાય છે.
" नाण च दंसणं चेव चरित्त च तवो तही।
वीरिय उबओगो अ एअ जीवस्स लक्खण ॥" જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વીર્ય અને ઉપયોગ હોય તે જીવ છે. જીવ લક્ષ્ય છે અને જ્ઞાનાદિ લક્ષણો છે કેમ કે જીવને છોડીને જ્ઞાનાદિને રહેવાનું સ્થાન બીજે કયાંય નથી,
હવે વિશેષ જ્ઞાન કરાવવાના ઈરાદાથી સૂત્રકાર પોતે જ જીવના પર્યાનું કથન કરે છે.
(૧) જીવ-જે જીવે છે તે જીવ છે. પાંચ ઈન્દ્રિ, ત્રણ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય. આ દશ પ્રાણ વડે જીવતે રહે, શ્વાસે શ્વાસ લેવા મૂકવાની ક્રિયા કરે, શરીરની વૃદ્ધિ હાનિ થતી રહે તે ચૈતન્યવંત જીવ કહેવાય છે. એટલે કે તે તે ભવ પૂરતા પિતાનાં કરેલાં શુભાશુભ કર્મોને ભેગવવાને માટે દશે પ્રાણ વડે ચેતનામય બચે રહે તે જીવ છે. આત્મા જીવે છે, કેમ કે તેની પાંચે ઈદ્રિયે, ત્રણે બળે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય કર્મ પિતપોતાનું કાર્ય કરી રહ્યા છે માટે આત્માને જીવ કહેવાય છે, અને જ્યાં સુધી તેનામાં ઓછા-વત્તે અંશે પણ ચેતના છે, દ્રવ્ય અને ભાવ પ્રાણે છે ત્યા સુધી તે ચેતન છે, અન્યથા અર્થાત પૃથ્વીથી લઈને દેવ સુધીના શરીરમાંથી ચેતના શક્તિની સમાપ્તિ થતાં તે મડદુ કહેવાય છે, જે જડ છે.
(ર) પ્રાણ-શ્વાસે શ્વાસરૂપ પ્રાણને ધારણ કરેલા હોવાથી તેને પ્રાણ પણ કહેવાય છે.