________________
શતક ૨૦ મું : શિક-૨
૫૮૫
સાથે પશુ કડકાઈથી બેલનાર હોય તે નકકી સમજી લે કે આ બધા લક્ષણો લેબી વાર્થ માણસના છે, માટે તિર્થંકર દેવેએ કહ્યું છે કે લાભ પાપ જ છે, જેના મૂળમાં પરિગ્રહ સંજ્ઞા કામ કરી રહી છે.
(૧૨) રાજ વિ૬ વાદ-રાગને ત્યાગ કરે તે ધર્મ છે. જયારે રાગ-રાગાત્મક જીવન, રાગવતી ભાષા પાપ છે, કારણ િઆત્માને તે ટામાં મોટો શત્રુ છે, માટે તેની જુદી જુદી રીતે કરાયેલી વ્યાખ્યાઓ જાણવાથી આપણને ખબર પડશે કે રાગને શા માટે પાપ કહેવાયું છે (૨) રાજ: ર (જીવા. ૧૭૩)
શુદ્ધ અને નિર્મલ આત્માને પણ જુદી જુદી લેશ્યાઓને રંગ લગાડનાર રાગ છે, અન્યથા સામાયિક અને સમાધિસ્થ થવાની ભાવનાવાળો સાધક, પિતાની સાધના અવસ્થામાં પોતાની આંખના ડોળા શા માટે ફેરવતું હશે ? બેલવાની ચેષ્ટા કે બીજાને સાંભળવાની કે સંભળાવવાની ચેષ્ટા, હાથ-પગ કે આંખની ચેષ્ટા અને સંકેત, તથા વિના કારણે પણ હાથપગને ઉંચાનીચા કરવાના ભાવ શા માટે રાખ હશે? સારાંશ કે ૪૮ મિનિટ માટે અતિ ઉચ્ચ અવસ્થાને અરિહંત તથા ગુરુની સાક્ષીએ સ્વીકાર્યા પછી સાધકને બેલવામાં, જોવામાં, સાંભળવામાં, કે બીજી ઔદાયિક પ્રવૃત્તિ કરવામાં રાગ વિના બીજુ કયું કારણ છે? માટે જ પોતાની આંખને, કાનને, જીિભને, કે મનજીભાઈને મૌન આપી શકતા નથી. ધર્મધ્યાનના ઊંડામા ઊંડા તત્વે જાણે છે, ચર્ચે છે, ઉપદેશે છે, પણ તે અમલમાં મૂકી શક્તા નથી, ચર્ચામાં બીજાને હરાવી શકે છે પણ પિતાના દોષોને મારી શકતા નથી.