SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૨ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પડતાં એક દિવસે સત્તામાંથી પણ સંજ્ઞા જશે અને જ્ઞાનની ચરમ સીમાને પ્રાપ્ત કરશે. લેશ્યા નિવૃતિ છ પ્રકારની છે. કેવળ સિદ્ધાત્મા જલેશ્યા વિનાના છે. દષ્ટિ નિર્ધ્વતિના ત્રણ પ્રકાર છે, અનાદિકાળથી કે પતન પામીને એકેન્દ્રિયાવતારમાં રહેલા અનંતાનંત જીવે મિથ્યા દષ્ટિ હોય છે, અને જ્યાં સુધી તે અવતારમાં રહેશે ત્યાં સુધી સમ્યગદષ્ટિની પ્રાપ્તિ નથી. જ્યારે બીજા જીને તારતમ્ય ભાવથી ત્રણે દષ્ટિ હોય છે. જ્ઞાન નિર્વતિ કેટલા પ્રકારે છે? આમિનિબેધિક (મતિ) શ્રત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન રૂપે જ્ઞાન નિવૃતિ પાચ પ્રકારે જાણવી. અહીં જે જ્ઞાન નિવૃતિ કહી છે તે સમ્યજ્ઞાન સંબધી જાણવી. જેની સમ્યગ્દર્શનની હયાતી દરમિયાન જ સંભાવના હોય છે. એટલે કે ક્ષાપશમિક દર્શનમાં ક્ષાપશમિક જ્ઞાન હોય છે. જેના કારણે જીવાત્મામાં એક બીજાની વિરૂદ્ધ કર્મ પ્રકૃતિઓને ઉદય નકારી શકાતું નથી. માટે મતિજ્ઞાન અને મતિજ્ઞાનાવરણીય કર્મના ઉદય કાળમાં યદિ મતિજ્ઞાનમાં સ્થિરતા આવશે અથવા સ્વાધ્યાય બળ કેળવીને સંસારની માયાને ગૌણ કરશે તે તેનું મતિજ્ઞાનાવરણીય અશક્ત બનશે, જેથી જીવનું ઉત્થાન થવામાં વાંધો નથી આવતો. અન્યથા મતિજ્ઞાનાવરણીય કર્મના ઝપાટામાં મતિજ્ઞાન ફસાઈ ગયું તે જીવાત્માને પતનમાર્ગ નિશ્ચિત છે આ પ્રમાણે બીજા જ્ઞાને માટે પણ ઘટાવી લેવુ
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy