SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૯ મું : ઉદ્દેશક-૮ ૫૪૯ આદિ થયા વિના પણ રહેવાની નથી. આ કારણે ભગવંતે ક્યાય-નિવૃતિ ચાર પ્રકારે કહી છે. કોધ, માન, માયા અને લોભ કષાયને કરવાની ઈચ્છા ન હોવા છતાં પણ જે જે જીવે સાથે નિયાણ કર્મો બંધાયેલા હોય છે, તેમના તરફથી તેવી જ પરિસ્થિતિ ઉભી થશે જેનાથી માનવ ક્રોધાદિ કર્યા વિના રહી શકતો નથી ઘણીવાર પરિસ્થિતિ એટલી બધી તાકાતવાળી હોય છે કે માણસની શક્તિ ત્યાં કંઈ પણ કામમાં આવતી નથી અને લાચાર બનીને પરિસ્થિતિનાં કારણે કષાય કર્યા વિના રહેવાતુ નથી. ક્રોધાદિ કષાયે કેવળજ્ઞાનના બાધક, સંસારના મૂળીયાઓને દઢ કરાવનાર છે, યદિ આ વાત ઉપર આપણને શ્રદ્ધા હોય તે, જેનાં કારણે આપણને કષાય થાય તે ચેતન કે અચેતન નિમિત્તો પણ આપણું શત્રુજ સમજવાના રહેશે, કેમકે તેમનાથી આપણને કષાય થાય છે. આટલું સમજવા છતાં જીવને વળગેલી સંસારની માયા જ એટલી બધી લપસણી હોય છે જેનાથી માણસ ક્રોધ કષાયને તાબે થશે, પરંતુ કેવળજ્ઞાનને રસ્તે તેને મંજુર હેતું નથી અને તે સમય પૂરતે તેમના ઉપશમનો રસ્તે પણ છેડી દે છે આ પ્રમાણે ફોધાદિમા ધમધમતે ફરીથી મેહકર્મને રસ્તો જાણીબુઝીને સ્વીકારી લે છે. માટે જ અરિહર્તાએ કહ્યું કે જીવાત્મન ! તારા કટ્ટર શત્રુઓ ક્રોધ-માન-માયા અને લેભ છે, તેને તુ કેમ ઓળખતો નથી, મિથ્યાજ્ઞાનના કારણે બાહ્યનિમિત્તાને શત્રુ માનીને જીવન શા માટે બરબાદ કરી રહ્યા છે માટે મિથ્યાજ્ઞાન છોડ અને સાચું જ્ઞાન મેળવ, જેથી તારા આત્માના શત્રુઓને પરાસ્ત
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy