________________
૪૪૧
શતક ૧૮મું: ઉદ્દેશકપણ સત્ય હોઈ શકતું નથી. કેમકે આંખ પદગલિક હોવાથી તેની શક્તિ મર્યાદિત હોય છે.
પ્રશ્નના જવાબમાં સ્યાદ્વાદી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે નિશ્ચયદષ્ટિએ ગોળમાં પાંચ વર્ણ, બે ગંધ—પાંચ રસ અને બાદર સકંધ હોવાથી આડે સ્પર્શ હોય છે. કેમકે સંસાર ભરને એકેય અંધ કે પરમાણુ વર્ણ—ગંધ-રસ અને સ્પર્શ વિનાને હેતે નથી. આપણું આંખ કમજોર હોય, મતિજ્ઞાનાવરણીય કર્મની તીવ્રતા હોય અથવા આંખમા રોગ હોય તે ગોળમાં રહેલા પાચે વર્ણ ન દેખાય. તે રીતે જીભ, નાક કે સ્પર્શેન્દ્રિયામાં તે ઈન્દ્રિયાવરણ કર્મો જોરદાર હોય તે પણ પદાર્થમાં રહેલા રસ આદિના નિર્ણયમાં માણસ માત્ર ભૂલ ખાઈ જાય છે તેથી તે દ્રવ્યમા રહેલા વર્ણાદિને અભાવ હત નથી.
- હવે કેવળ વ્યવહારનયથી તે ગેળ જોવા જઈએ તે બીજા વર્ણાદિ રહેવા છતાં પણ તેના પ્રત્યે ઉપેક્ષા અથવા તે સમય પૂરતી જાણવાની ઈચ્છા ન હોવાથી જ્ઞાયક કેવળ એટલું જ જાણવા માગે છે કે ગેળ શું મીઠે છે? ત્યારે વ્યવહાર નયથી કહેવાશે ‘હા’ ગેળ મીઠે છે. એનો અર્થ એ નથી કે ગોળમાં કેવળ મીઠે રસ જ હોય છે ? પણ વ્યવહારનયથી મર્યાદા એટલી જ છે કે અનંત પર્યાને ગૌણ કરી કેવળ તેમાં મીઠે રસ છે કે નહીં ? આટલી જ જાણવાની ઈચ્છા તે જ્ઞાયકમા છે. * ભ્રમર-ચતુરિન્દ્રિય છે અને વ્યવહારને કાળા રંગને છે જ્યારે નિશ્ચયન - પાચ વર્ણ, એ ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શવાળે છે ? - ૧ -