________________
૪૩ર.
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
યુગ્મ કેટલા છે?'
જવાબમાં ભગવંતે ચાર યુગ્મ કહ્યા છે તે આ પ્રમાણે કૃતયુગ્મ, એજયુમ્મ, દ્વાપરયુગ્મ અને કલ્યાજમુગ્સ
આ ચારે પારિભાષિક શબ્દો હોવાથી યુગ્મ અને આજનો અર્થ સ ખ્યાવાચક જાણ અન્યથા ગણિત શાસ્ત્રમાં યુગ્મ એટલે સમસંખ્યા (બે કી સંખ્યા) અને એજ એટલે વિષમ એકી સંખ્યા થાય છે.
આ પ્રશ્નોત્તરમાં બંને સંખ્યાવાચક છે. ભાવાર્થ આ પ્રમાણે છે.
સંખ્યા ચાહે લખી શકાય કે ન લખી શકાય તેટલી હોય પણ જેમાંથી ચાર-ચારની સંખ્યાને કામ કરતાં શેષ ચાર રહેવા પામે તે કૃતયુગ્મ કહેવાય છે. જેમ ૧૬-૩૨-૬૪–૧૨૮ આદિથી લઈ પલ્યોપમ કે સાગરોપમ પણ હોય પણ શરત એટલી જ છે કે તેમાંથી ચાર ચાર સંખ્યાને બાદ કરતાં શેષમાં ચારની સંખ્યા રહેવી જોઈએ.
ઉપર પ્રમાણે જ ચાર ચારને ઓછા કરતા શેષ ત્રણ રહે તે તે જ કહેવાશે જેમ ૧૫–૧૯-૨૩-ર૭ આદિ.
શેષ બેની સંખ્યા રહે તે દ્વાપચુમ કહેવાય છે. જેમ ૬-૧૦-૨૨ આદિ.
એક શેષ રહે તે કલેજ કહેવાશે જેમ ૧૩–૧૭ આદિ. આ કારણે મેં કહ્યું કે આ ચારેને સંખ્યાવાચક સમજવા.
નારકે શું કૃતયુમ છે?
જન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમની અપેક્ષાએ ભગવંતે કહ્યું