________________
શતક ૧૭ મું : ઉદ્દેશક-૧ મારભ્યતે :
૧૭ સંખ્યક ઉદ્દેશાઓથી પૂર્ણ પ્રસ્તુત ૧૭મા શતકના પ્રારંભમાં શાસનપતિ ભગવંત મહાવીરસ્વામીને, ગૌતમ ગણધરને, સુધર્માસ્વામીને, તથા ઉપશમિત મેહકર્મના માલિકને દ્રવ્ય તથા ભાવવંદના કરીને આ શતકનું વિવેચન કરવાનો પ્રારંભ કરું છું. જેમાં કુંજર, સંજય, શૈલેશી, ક્રિયા ઈશાન, પૃથ્વી, પાણી, વાયુ, એકેન્દ્રિય, નાગકુમાર, સુવર્ણકુમાર, વિઘુકુમાર અને અગ્નિકુમારનું વર્ણન છે. - રોજગૃહી નગરીમાં આ ઉદેશે ચર્ચા છે જે ભૂમિ પર શાસનપતિ ભગવાન મહાવીરસ્વામીના ૧૨ ચાતુર્માસ (વર્ષાવાસ) થયા છે. અનેકાનેક ભાગ્યશાળીઓએ સ વરધર્મ–સમિતિ ગુપ્તિધર્મપૂર્વકને સયમમાર્ગ સ્વીકાર કર્યો છે જ્યારે કેટલાક ભાગ્યશાળીએ દેશવિરતિ ધર્મને સ્વીકારી પાવન થયા છે, મોક્ષદાયિની સત્તાના સૂત્રોમાં બધાયેલા જૈન સંઘના સ્થાપક ભગવાન મહાવીરસ્વામી હતાં. જેન સ ઘન સિંચક ગણધર ગૌતમસ્વામી હતા. જૈન સાધના વર્ધક ગણધર સુધર્માસ્વામી હતાં. જૈન સંઘના રક્ષક પ્રચડ શક્તિસંપન્ન શ્રેણિક મહારાજા હતા જૈન સંઘના પાલક ચતુબુદ્ધિસંપન્ન અભયકુમાર મહામત્રી હતા. જૈન સંઘના શુભાકારક ધન્ના અને શાલીભદ્રો જેવા હતા. જૈન સંઘના યશકીર્તિવાધિકા મૃગાવતી, જયંતી, ચંદનબાળા જેવી મહાસતીઓ હતી. જૈન સંઘના અવગ્રહેદાયિકા,- ભદ્રારેવતી, સુલસા આદિ સન્નારીઓ હતી. જૈન