________________
શતક ૧૬ મું : ઉદ્દેશક૬ સ્વપ્ન એટલે શું ? અને તે કેટલા પ્રકારે છે ?
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો ! સ્વપ્નદર્શન કેટલા પ્રકારે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે સ્વપ્નદર્શનના પાચ ભેદ છે તે આ પ્રમાણે –(૧) યથાતથ્ય (૨) પ્રતાન (૩) ચિંતા સ્વપ્ન (૪) તદ્ વિપરીત (૫) અવ્યક્ત દર્શન
નિદ્રા અવસ્થામાં, ભૂતકાળમાં ભગવેલા અન ત પદાર્થોને કે ભવિષ્ય કાળમાં જે પદાર્થો ભેગવાશે, તદર્થે જે વિકલ્પો કે તેને અનુભવ કરવો તે સ્વપ્ન છે–સ્વપ્નદર્શન છે.
સ્વપ્ન આવવા સ્વાભાવિક હોવા ઉપરાંત જીવને ઉદયમાં આવેલા કે ઉદયમાં આવનારા પુણ્ય તથા પાપને આધીન છે. સ્વપ્ન સંબંધી ઘણી એવી વાતો છે જેના ઉપર તત્કાળ શ્રદ્ધા હેતી નથી તેથી આ વિષય કાલ્પનિક નથી બનતે. આજે પણ સ્વપ્નશાસ્ત્રના ઢગલાબ ધ પુસ્તક છે અને માણસે તને વાગે છે, પરંતુ આ વિષયમાં ભગવાન મહાવીરસ્વામી શું કહે છે? તે જાણવું જરૂરી અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનાર હેવાથી ઉપર્યુક્ત પાંચે સ્વનેનો ખુલાસો કરી લઈએ. (૧) યથાતથ્ય સ્વનદર્શન :
જે પદાર્થ જેવી રીતને છે તેનું તે રીતે હોવું તેને યથાતથ્ય કહે છે. આ સ્વન યથાર્થે વસ્તુને પ્રાપ્ત કરાવનાર હોય છે. જેના બે ભેદ છે. (૧) દષ્ટાર્થવિસંવાદી (૨)ફળાવિસંવાદી.