________________
શતક ૧૬ મું : ઉદ્દેશક–પ
૩પ૧ દેવલોકમાં બે દેવેન ઉત્પાદ થયે તેમાં એક દેવ માયામિથ્યાદષ્ટિસમ્પન્ન અને બીજે અમારી સમ્યકૃત્વસમ્પન્ન હતું. એક સમયે મિથ્યાત્વી દેવે બીજાને એટલે કે સમ્યવી દેવને આ પ્રમાણે કહ્યું કે – પરિણામ પામતા પુદગલે પરિણત કહેવાય?
પ્રશ્ન—પરિણામ પામતા પુદ્ગલે પરિણત નથી, પરંતુ અપરિણુત છે. હજી તેમનામાં પરિણામ પામવાની ક્રિયા ચાલુ છે, માટે તેમને પરિણત કહેવા તે ઠીક નથી. કેમકે પગલે પરિણમે છે. આ કથનથી વર્તમાનકાળને બોધ થાય છે, ભૂતકાળને બંધ થતો નથી. વર્તમાનકાળને દવસ થયા પછી ભૂતકાળ બનતે હેવાથી તે બંનેમાં વિરોધાભાસ રહેલે છે, માટે પરિણામ પામતા પુદ્ગલે અપરિણત છે.
જવાબ–ઉપર પ્રમાણેની વાત સાંભળીને જવાબમાં સમ્યગુદષ્ટિ દેવે કહ્યું કે જે પુદ્ગલે પરિણામ (ફેરફાર) થવાની કિયાવાળા છે, તે પરિણત જ કહેવાય છે, પણ અપરિણત કહેવાતા નથી. જેમાં પરિણામ થઈ રહ્યો છે ત્યાં “પરિણતત્વને પણ સભાવ હોય જ છે નિભાડામાં પકાવવા માટે ઘડા છે. યદ્યપિ આ કિયા લાબા કાળે સમ્પન્ન થશે તે પણ પરિણત ક્રિયા ચાલુ થઈ ગયેલી હોવાથી સૌ કોઈને ભાષાવ્યવહાર ઘડા પાકે છે આવા પ્રકારને જ હોય છે. પહેલા સમયમાં પાક ક્રિયા ન થાય તે બીજા સમયે પણ તેમાં પાક કિયા શી રીતે થાય? પ્રથમ સમયમાં જેટલા અંશે પરિણત થાય છે થાવત છેલ્લા સમયે પણ પરિણત થવાની ક્રિયા ચાલુ જ છે, માટે પ્રથમ સમયનું પરિણમન ભૂતકાળમાં થઈ ગયેલ છે, બીજા સમયમાં તે ચાલુ જ છે, તે દૃષ્ટિએ વર્તમાનકાળ હોવાથી