SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૬ મું : ઉદેશક-૧ ઉપક્રમ : ૧૪ ઉદેશાઓ સાથેનું ૧૬મું શતક રાજગૃહી નગરીમાં ચર્ચાયું છે. જેમાં અધિકરણી, જરા, કર્મ, યાવતિક, ગ ગદત, સ્વપ્નાઓ, વેગ, લોક, બલિઅવધિ, દ્વીપ અને દિશા આદિના પ્રકરણો છે. અધિકરણ : લોખંડની બનેલી હોય છે. જેના ઉપર લુહાર ગરમા ગરમ થયેલા લોખંડને મૂકીને હથડાથી ટીપે છે, તેને અધિકરણ કહેવાય છે. પ્રશ્નને હાર્દ એ છે કે હે પ્રભે ! લાલ સુરખ (ગરમા ગરમ) થયેલા લોખંડને એરણ ઉપર (અધિકરણ ઉપર) મૂકીને લુહાર હડાથી કે ધનથી ટીપે છે, તે સમયે એરણ ઉપર વાયુકાયની ઉત્પત્તિ થાય છે? જવાબમાં ભગવંતે કહ્યું કે, ગૌતમ! તે સમયે હથેડાના ઝપાટાથી વાયુકાય ઉત્પન્ન થાય છે. ઉત્પત્તિ સમયે અચેતન તે વાયુ પછીથી સચેતન બને છે અને હાડા આદિના શસ્ત્રથી સ્કૃષ્ટ થઈને મૃત્યુને પામે છે, પણ સ્પષ્ટ થયા વિના મરતે નથી. વાયુકામાંથી મરતો તે વાયુકાય શરીર સાથે અને શરીર વિના પણ મરે છે. જ્યાં સુધી જીવ મેક્ષમાં ન જાય ત્યાં સુધી તૈજસ અને કાર્પણ શરીરનું સાહચર્ય હોવાથી સશરીર મરે છે અને દારિક આદિ શરીર વિના મારે છે, માટે અશરીર મૃત્યુ પામે છે, સારાંશ કે બીજી ગતિમાં જતે જીવાત્મા શરીરી જ કહેવાય છે અને બીજી અપેક્ષાએ અશરીરી છે.
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy